Not Set/ સુરત : પતિ સાથે ઝગડો થતાં પત્નીએ પુત્ર સાથે નદીમાં કૂદી કર્યો આપઘાત

સુરત, સુરતમાં પતિ સાથે નજીવી બાબતે ઝગડો થયા પછી પત્ની તેના 3 વર્ષના બાળકને લઈને ગુમ થઈ ગઈ હતી. જે બાદ ગઇકાલે માતા અને બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવી છે. પતિ સાથે જમવા બાબતે થયેલા ઝઘડા બાદ પત્નીએ પોતાના પુત્ર સાથે નદીમાં પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના અને […]

Gujarat Surat
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 2 સુરત : પતિ સાથે ઝગડો થતાં પત્નીએ પુત્ર સાથે નદીમાં કૂદી કર્યો આપઘાત

સુરત,

સુરતમાં પતિ સાથે નજીવી બાબતે ઝગડો થયા પછી પત્ની તેના 3 વર્ષના બાળકને લઈને ગુમ થઈ ગઈ હતી. જે બાદ ગઇકાલે માતા અને બાળકની લાશ તાપી નદીમાંથી મળી આવી છે. પતિ સાથે જમવા બાબતે થયેલા ઝઘડા બાદ પત્નીએ પોતાના પુત્ર સાથે નદીમાં પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના અને હાલ કોસાડ આવાસમાં રહેતા સંજય બાદલનો તેની પત્ની સાથે જમવા બાબતે થયેલા બાદ પત્નીને લાગી આવતા પત્નીને આ પગલું ભર્યું હતું. જણાવીએ કે સંજયના લગ્ન હેમલતા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બંનેને સંતાનમાં એક પુત્ર હતો. ગત તારીખ 18મી ના રોજ હેમલતાનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો.જે બાદ તે પુત્ર શૌર્યની સાથે ઘર છોડીને જતી રહી હતી.

મોડી સાંજ સુધી ફૂટે અને પત્ની જોવા ના મળતા પરિવારે બંનેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ બાદ બંને મળી ના આવતા પતિએ અમરોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 19ના રોજ પત્ની અને પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખની છે કે કતારગામ નજીક તાપી નદીમાંથી ગતરોજ માતા અને દીકરાનો મૃતદેહ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસર માતાએ પુત્રને દુપટ્ટા વડે બાંધીને તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

કતારગામ પોલીસે બંને મૃતદેહ કબજો લઇને આ મામલે આગળની તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.