મોરબી,
મોરબીના બગથળામાં હાર્દિક પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યુ. પ્રતિક ઉપવાસમાં મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઇ હતી. મહિલાઓએ જય પાટીદાર, ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
પ્રતિક ઉપવાસને લઇને હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે બગથળામાં પાટીદારો ત્રણ માંગને લઇને પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. વિશાળ જન મેદનીને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, ગાંધી જયંતીના દિવસથી રાજ્ય સરકાર સાથે અહિંસક લડાઇની શરૂઆત કરી છે…ખેડૂતોનું દેવુ માફ થાય, સન્માનથી જીવી શકે તે માટે પ્રતિક ઉપવાસનું આંદોલન કર્યુ છે.
હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડૂતોના દેવામાફીની માંગણી સાથે આજથી, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના દિવસથી પુરા રાજ્યમાં ઉપવાસ કરવામાં આવશે. આજે મોરબી જિલ્લાથી ઉપવાસ શરુ થશે.
https://twitter.com/HardikPatel_/status/1044240179307917312
મોરબીના બગથળામાં આજે હાર્દિકના ઉપવાસમાં કનુભાઈ કલસરિયા, પાસના કન્વીનરો તેમજ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ હાજર રહ્યા હતા.