હિંમતનગર,
છેલ્લા કેટલાય વર્ષો બાદ હવે અમદાવાદ થી ઉદેપુર વાયા હિંમતનગરનું મીટરગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતરણ થઈ રહ્યું છે. ડીસેમ્બરના અંત સાથે રેલ લાઇનનું કામ કામજ પુર્ણ કરીને નવી રેલ્વે લાઇન પર બ્રોડગેજ રેલ્વેની વ્હીસલ સંભળાતી થવાની હતી. પરંતુ હાલ ડીસેમ્બર માસના દીવસો પણ વિતવા લાગ્યા છતાં પણ હજુ ગેજ પરીવર્તનનુ કામ બાકી છે.
આમ હજુ પણ કેટલાક મહીનાઓ સુધી લોકોએ બ્રોડગેજની સુવિધાને મેળવવા માટે રાહ જોવી પડે એમ છે. કામ ઝડપી કરવાની લોકમાં ઉઠી રહી છે ત્યારે જિલ્લા સંસદે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં પ્લેટફોર્મ પરની સુવિધાઓ થઈ લઇને પરીવર્તનની કામગીરી હેઠળના રેલવે ટ્રેકનું પણ નિરીક્ષણ કર્યું હતું. જેમાં પ્લેટફોર્મ પર યાત્રિકોને સુવિધાઓમાં કોઈ ખોટ ન સર્જાય તેનું પણ ધ્યાન રાખ્યું હતું.