Jammu & Kashmir News: ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તાજેતરના આતંકવાદી હુમલાઓને પગલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે અને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા માટે વ્યાપક માર્ગદર્શિકા આપશે. તેઓ 29 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવી જ બેઠકના ત્રણ દિવસ પછી ગૃહ પ્રધાન શાહ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. પીએમ મોદીએ તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલા સહિત અનેક આતંકવાદી ઘટનાઓ બાદ આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
રવિવારે યોજાનારી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે શાહને જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ, નિયંત્રણ રેખા પર દળોની તૈનાતી, ઘૂસણખોરીના પ્રયાસો અને આતંકવાદ વિરોધી કામગીરી વિશે માહિતી આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: સિવિલ સેવા પરીક્ષા આજે લેવાશે, પરીક્ષા પહેલા ‘આ’ બાબતોનું ધ્યાન રાખો
આ પણ વાંચો: 200 ઈંડામાંથી નીકળ્યા 181 મગરનાં બચ્ચા, આ રીતે સંખ્યા વધી રહી છે…
આ પણ વાંચો: પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, આખરે એવું થયું શું…