આસ્થા/ કઈ ઉંમરમાં કઈ રાશીવાળાને કેટલી ધનરાશી મળશે?

જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને દરેક વ્યક્તિ જન્મ સાથે પોતાનું ભવિષ્ય પણ લઈને જન્મે છે. અને પોતાની રાશિ અનુસાર અને કર્મ અનુસાર જીવનમાં ધન પ્રાપ્તિ કરે છે.

Dharma & Bhakti
k3 1 કઈ ઉંમરમાં કઈ રાશીવાળાને કેટલી ધનરાશી મળશે?

@કિશન મહારાજ

જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને દરેક વ્યક્તિ જન્મ સાથે પોતાનું ભવિષ્ય પણ લઈને જન્મે છે. અને પોતાની રાશિ અનુસાર અને કર્મ અનુસાર જીવનમાં ધન પ્રાપ્તિ કરે છે. તો આવો જોઇએ કઈ ઉમરમાં કઈ રાશિવાળી વ્યક્તિને ધન લાભ થઈ શકે છે.

 મેષ : ઉં.વ-૧૯, ૨૮, ૩૭, ૪૨, ૫૫ વર્ષમાં ખૂબજ ધન કમાવવા મળે છે.પોતની મહેનતથી ધન કમાય છે.દરરોજ લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અર્પણ કરવાથી ફાયદો થશે.

 વૃષભ : બહુ મહેનતથી પૈસાનું આગમન થાય. ઉં.વ-૨૯, ૩૨, ૩૮, ૫૬ વર્ષની ઉંમરમાં ધન બહુ કમાવવા મળે. જીવનસાથી થી ધન કમાવવાની સંભાવના વધારે છે.સફેદ સ્ફટિકની માળા ધારણ કરવાથી ફાયદો થશે.

 મિથુન : ઉં.વ-૨૩, ૨૭, ૩૬, ૪૫, ૫૭ વર્ષમાં પૈસાનું આગમન ખૂબ થાય. પિતા તરફથી અને પોતાના બળે પૈસા ખૂબ કમાવાય. હનુમાનજીને રોજ સિંધુર ચઢાવવાથી ફાયદો થશે.

 કર્ક : ઉં.વ-૨૩,૨૭,૨૯,૩૨,૪૮,૫૯ વર્ષમાં પૈસા ખૂબ જ કમાવાની તક મળે. સાસરાપક્ષથી ધન લાભની શક્યતા વધારે છે. લક્ષ્મીજીને રોજ ગુલાબનું અત્તર છાંટવાથી ફાયદો થશે.

 સિંહ : આ રાશીવાળાને જાત મહેનત જિંદાબાદ છે. ઉં.વ-૨૪, ૨૮, ૩૫, ૩૯, ૪૨, ૫૦, ૬૮ વર્ષમાં ખૂબજ પૈસા કમાવાય. દરરોજ લક્ષ્મીજીને ઈલાયચી અર્પિત કરવીએ ને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાથી ફાયદો થશે.

 કન્યા : ધંધામાંથી અને તમારા જીવનસાથી તરફથી નિયમિત ધન મળતું રહેશે. ઉં.વ ૧૫, ૨૪, ૩૩, ૪૨, ૫૭, ૫૯, ૬૨ વર્ષની અંદર તમે અપાર ધન મેળવી શકો. ચાંદીની ચેન પહેવાથી ધનલાભ થશે.

 તુલા : ઉં.વ-૧૬, ૩૦, ૩૮, ૪૮, ૫૨, ૫૯ વર્ષમાં સ્ત્રી તરફથી ધનનો ફાયદો થાય. નિયમિત સૂર્ય નારાયણને જળ ચઢાવવાથી ફાયદો થશે.

 વૃશ્ચિક : પિતા, મામા, કાકા અને પરિવારના સભ્યોથી ધન યોગ પ્રબળ બને. ઉં.વ-૧૩, ૨૨, ૨૮, ૩૨, ૩૮, ૪૨, ૪૯, ૫૨, ૬૨ વર્ષમાં ખૂબ જ ધન કમાવવા મળે. દરરોજ ગણેશજીને ધરો ચઢાવવાથી ફાયદો થાય.

 ધન : ઉં.વ-૨૫,૨૮, ૩૨, ૩૯, ૪૩, ૪૮, ૫૬, ૫૮ વર્ષમાં ધન કમાવવાના યોગ ખૂબ જ પ્રબળ છે. માતાના પરિવાર તરફથી ધન કમાવવામાં સહયોગ મળે. દરરોજ ગુલાબનું અત્તર નાખવાથી ફાયદો થશે.

 મકર : પોતાના ધંધામાંથી ખૂબ જ ફાયદો થાય. ઉં.વ-૧૯, ૨૬, ૨૮, ૩૨, ૩૮, ૪૮, ૫૪, ૫૮ વર્ષમાં ખૂબ જ પૈસા મળે. દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવાથી ફાયદો થાય.

 કુંભ : ઈશ્વરની કૃપાથી ધનના યોગ પ્રબળ બને. ઉં.વ-૨૦, ૨૨, ૨૫, ૨૭,૩૫, ૩૯, ૪૫, ૫૨, ૫૯ વર્ષમાં ખૂબ જ પૈસા કમાવાય.દરરોજ કેળાનું દાન કરવાથી ફાયદો થાય.

 મીન : ઉં.વ-૨૪, ૨૯, ૩૨, ૪૨, ૪૯, ૫૩ વર્ષમાં ધનની પ્રાપ્તિ થાય.બાળકો તરફથી ખૂબ જ લાભ થાય. દરરોજ પીપળે થોડી હળદર ચઢાવવાથી ફાયદો થાય.