બેગ્લુરુઃ ચેન્નાસ્વામી સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે 75 રને જીત મેળવી હતી. ભારતી તરફથી આર. અશ્વિને 6 વિકેટ ઝડપી હતી અને ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી. પહેલી ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમે દબાણમા હતી.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારત 274 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારત તરફથી ચેતેશ્વર પુજારા 92 રન કરીને આઉટ થયો હતો. જ્યારે આ પહેલા લોકેશ રાહુલ અને અજિંક્યા રહાણે અડધી સદી કરી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 188 રનની જરૂર છે.
ભારતે પહેલી ઇંનિગ્સમાં નબળી શરૂઆત કરતા 189 રન કર્યા હતા. ત્યાર કમબેક કરતા ભારતીય બોલરે સારુ પ્રદર્શન કર્યું હતુ. રવિન્દ્ર જાડેજાએ 6 વકિટે ઝડપીને સારુ પ્રદર્શન કર્યું હતું.
બીજી ઇંનિગ્સમાં ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ 90 રન કર્યા હતા જ્યારે અજિંક્યા રહાણેએ 52 અને રાહુલે 51 રન કર્યા હતા.