Sports News : ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચઃ આ દિવસોમાં BCCI ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની શોધમાં છે. જેમાં ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં જો ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને છે તો ટીમમાંથી 5 ખેલાડીઓની હકાલપટ્ટી થઈ શકે છે.આ દિવસોમાં ટીમ ઈન્ડિયાના નવા હેડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
વિદેશી દિગ્ગજથી લઈને ભારતીય દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે પરંતુ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ કોણ બનશે તે હજુ સુધી નક્કી નથી થયું. જો કે આ યાદીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ છે.રિપોર્ટ્સ અનુસાર, ગંભીર T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની શકે છે. કારણ કે વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં BCCI ટીમ ઈન્ડિયા માટે પહેલાથી જ નવા હેડ કોચની શોધમાં છે. રિપોર્ટ્સ અનુસાર, જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને છે તો T20 ટીમમાંથી 5 ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે. જ્યારે ટીમમાં 3 નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ