ઘાંઘું થયેલું પાકિસ્તાન હમણા હમણા હુમલો, યુદ્ધ, અણું બોમ્બ, કાર્યવાહિ જેવા બફાટ કરી રહ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ તેનો યોગ્ય રીતે જવાબ આપવામાં આવી જ રહ્યો છે. પરંતુ જ્યારે જવાબ ભારતનાં સર્વોચ્ચ પદ્દધિકારીઓ દ્વારા આપવામાં આવે ત્યારે તેની મહત્વતા વઘી જતી હોઇ છે.
ભારતમાં આમતો આવા મામલામાં વધુ પડતું માથું ન મારતા આવ જ સર્વોચ્ચ પદ્દાધિકારી દ્વારા પાકિસ્તાનની બુદ્ધી ઠેકાણે આવી જાય તેવું વજનદાર નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદન ભારતનાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યું છે અને નામ લીધા વિના પાકિસ્તાનની બોલતી બંધ થઇ જાય તેવું નિવેદન કર્યું છે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ.
વિશાખાપટ્ટનમમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપવામાં આવ્યો છે.ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું છે કે, ભારતે ક્યારેય કોઈ દેશ પર પ્રથમ હુમલો કર્યો નથી. બધા ટોમ, ડિક અને હેરી આવ્યા અને ભારત પર હુમલો કર્યો. અમે કોઈ પર હુમલો કરીશું નહીં, પરંતુ જો કોઈ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો અમે તેમને યોગ્ય જવાબ આપીશું, અને તેવો જવાબ આપીશું કે, જે તેઓ તેમનાં જીવનકાળમાં ભૂલી નહીં શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.