બિહારમાં “ઇફતાર પાર્ટી”થી રાજકારણ ગરમાયું છે અને ઉથલપાથલનાં એંઘાણ જોવા મળી રહ્યા છે. રમઝાન ચાલી રહ્યો છે અને ઇક્તાર પાર્ટીની મૌસમ ફૂલ બહારમાં છે ત્યારે કેન્દ્રીયમંત્રી અને ભાજપનાં બેગુસરાઇનાં સાસંદ ગીરીરીજસિંંહઓ ઇફ્તાર મામલે ટ્વીટ કરીને ટોણો મારતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપનાં આખા બોલા હિન્દુવાદી મનાતા નેતા ગીરીરાજસિંહે પોતાના ટ્વીટર હેન્ડલર પર અમુક ફોટાઓ શેર કર્યા છે. ફોટામાં ભાજપના નેતા અને બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, બિહારનાં મુખ્યમંત્રી નીતિશકુમાર, આરએલએસપીના નેતા અને કેન્દ્રીયમંંત્રી રામ વિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાન સાથે જોવા મળે રહ્યા છે. ભાજપ, આરએલપી, જેડીયુનુંં બિહારમાં ગઠબધન છે માટે આ નેતા સાથે જોવા મળે તો કોઇ નવીઇની વાત નથી. પરંતુ…
ગીરીરાજસિંહે ટ્વીટ કરેલા ફોટા “દાવત – એ – ઇફ્તાર” નાં છે અને સિંહે લખ્યું છે કે “કેવો સુંદર ફોટો હોય જો આટલા જ પ્રેમથી નવરત્રીનાં ફલહરનું આયોજન કરવામાં આવે….શા માટે આપણે આપણા ધર્મને વછુંટી રહ્યા છીએ અને દેખાળામાં આગળ જોવા મળીએ છીએ ?”
સોમવારે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતન રામ મંઝીના નિવાસસ્થાને ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાંં આવ્યું હતુ. ઇફ્તાર મારફતે નવા રાજકીય સમીકરણનો સંકેત આપવામાં આવતો હોય તેવું પ્રતિત થઇ રહ્યું હતું. પાર્ટીમાં બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાનાં ટેકેદારોની વિનંતી પર આવ્યા હતા. નીતિશ, જિતન રામ મંજીનાં ઘરમાં લગભગ 13 મિનિટ રોકાયા હતા. આને મંઝી સાથે ચર્ચા વિચારણા કરતા દેખાયા હતા. તો આ સમયે બિહાર વિધાનસભાનાં પ્રમુખ વિજયકુમાર ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત હતા.
પાર્ટી બાદ જિતન માંઝીઓ આપ્યા આવા સંકોતો
આપને જણાવી દઇએ કે મુખ્યમંત્રી નીતિશનાં આગમનનાં થોડા જ સમય પહેલા મહા ગઠબંધનના તમામ નેતાઓ માંંઝીને ત્યાંથી ગયા હતા. મુખ્યમંત્રીની વિદાય પછી માંઝીએ સ્પષ્ટતા કરી હતી કે ઇફ્તાર પાર્ટીનો કોઈ રાજકીય હેતું હોતો નથી. પરંતુ હા નીતિશ કુમાર સાથે વાતો વોતામાં બિહારને ખાસ રાજ્યનાં દરજ્જા વિશે, સામાન્ય નાગરિકોની સુખ સુવિધા વિશે અને કલમ 370 વગેરે અંગેની નિતીશ કુમાર સાથે ચર્ચા થઇ હતી. માંઝી દ્રારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન હોતા નથી. સાંકેતીક વાત બાદ નીતિશ સાથે મહાગઠબંધન પણ આવી શકે છે તેવો મુદ્દો રાખવામાં આવતા બિહારમાં કઇક ખિચડી પકાવવામાં આવી રહી હોવાનો અણસાર જોવા મળી રહ્યો છે.
પાસવાનની ઇફ્તારમાં પણ હાજરી આપી બિહારનાં ગવર્નર અને મુખ્યમંત્રીએ – કેન્દ્રીય મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતા રામ વિલાસ પાસવાન દ્રારા પણ સોમવારે ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગવર્નર જનરલ ટંડન અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત પક્ષનાં નેતાઓ રામ વિલાસ પાસવાનની પાર્ટીમાં હાજરી આપવામાં આવી હતી.