ભારતીય સંસ્કૃતિમાં સદિયોથી ધુપનું મહ્ત્વ્ચે. અગાઉના સમયમાં યજ્ઞો થતા હતા. અને તેમાં વિવિધ દ્રવ્યો નાખીને ધૂપ કરવામાં આવતા હતા. પરંતુ સમય જતા સ્થાન અને સમયના અભાવે યજ્ઞનું સ્થાન ધૂપ એ લીધું છે. દરરોજ પૂજા કરવાથી ઘર નું વાતાવરણ શુદ્ધ થઇ જાય છે અને ઘર માંથી નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. એ સિવાય ધૂપ કરવાથી ભગવાન પણ પ્રસન્ન થઇ જાય છે. ભારત માં પ્રાચિનકાળ થી ધૂપ અને દીવો ઘર માં કરવામાં આવે છે અને એને સળગાવવા થી વાસ્તુશાસ્ત્ર માં ઉત્તમ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ ધૂપ કરવાથી ઘર નું વાસ્તુ દોષ દુર થઇ જાય છે.
કપૂરનો ભારતીય સંસ્કૃતિ અને ધર્મ સાથે ઘણો જુનો નાતો છે. દરેક પૂજામાં મોટાભાગે કપૂર નો ઉપયોગ થાય જ છે. ઘરમાં કપૂર અને લવિંગ જરૂરથી પ્રગટાવવા જોઈએ. આરતી પછી કપૂર પ્રગટાવીને એની આરતી કરવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. સાથે જ પૈસાની ઉણપ નહી રહે.
કપૂરની ગોળી
જો સીઢીઓ, ટૉયલેટ કે દ્વાર કોઈ ખોટી દિશામાં નિર્મિત થઈ ગયા હોય તો બધી જગ્યાએ 1-1 કપૂરનો ટુકડો મૂકી દો. ત્યાં મુકેલ કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે.
ગૂગળનો ધૂપ
અઠવાડિયામાં 1 વાર કોઈ પણ દિવસ ઘરમાં છાણા સળગાવીને ગૂગળનો ધૂપ કરવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે.
અગરબત્તી લગાવો..
ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે મહાકાલીના મંદિરમાં જઈને પૂજા કરો.
પીળી સરસવ
લોબાન, ગૌઘૃત (ગાયનું ઘી) મિક્સ કરી સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને આ બધી સામગ્રી તેમા નાખી દો. નકારાત્મકતા દૂર થઈ જશે.
લીમડાના પાન
ઘરમાં અઠવાડિયમાં એક કે બે વાર લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ. આવુ કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે.
ષોડશાંગ ધૂપ
અગર, તગર, કુષ્ટ, શૈલજ, શર્કરા, નાગર, ચંદન, ઈલાયચી, તજ, નખનખી, મુશીર, જટામાંસી કપૂર, તલ, સદલન ગૂગળ આ સોળ રીતના ધૂપ માન્ય છે. એની ધૂપ માન્ય છે. આ ધૂપ આકસ્મિક દુર્ઘટના નહી થાય.
દશાંગ ધૂપ
ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષ્રોદ્ર બધાને સમાન માત્રામાં મિક્સ કરી સળગાવવાથી ઉત્તમ ધૂપ બનેછે. એન દશાંગ ધૂપ કહે છે. એનાથી ઘરમાં શાંતિ રહે છે.
ગાયત્રી કેસર
ઘર પર કોઈએ કઈક તંત્રમંત્ર કરી રાખ્યો છે તો જાવિત્રી, ગાયત્રી કેસર લાવીને એને વાટીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ઉચિત માત્રામાં ગૂગળ મિક્સ કરો. હવે આ મિશ્રણની ધૂપ આપો. આવું 21 દિવસ સુધી કરો.