@સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ઘર કંકાસનાં કારણમે અવાર-નવાર મહિલાઓ પોતાનો જીવવન ટૂંકાવી દેતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાથી સામે આવી છે. જેમા પ્રેમ લગ્ન કરેલી મહિલાએ પોતાના સાસુ, સસરા અને જેઠનાં માનસિક ત્રાસથી પોતાનુ જીવન ટૂંકાવ્યુ છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં ભિલોડનાં માંકરોડા રાત્રીનાં સમયે એક મહિલા એ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે ત્યારે આ મહિલા એ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે લગ્ન કર્યા બાદ મહિલાને સાસરીમા પોતાના સાસુ સસરા અને જેઠ માનસિક ત્રાસ આપતા હતા ત્યારે મહિલા એ પોતાના મકાનના બીજા માળે પોતાના બેડરૂમમાં જઈને પંખે પોતાનો દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવી દીધું છે.
ત્યારે તુપ્તિ બેન મહિલાના સાગા એ ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે અરવલ્લી જિલ્લા માઆપઘાત ના બનાવો વધવા લાગ્યા છે ત્યારે જો વાત કરીએ તો છેલ્લા 2 મહિના મા 15 થી વધુ લોકો એ જીવન ટૂંકાવ્યા છે ત્યારે લોકોની માંગ છેકે અરવલ્લી પોલીસ ધ્વરા યોગ્ય કામગીરી કરવામા આવે અને લોકોને ન્યાય મળે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…