Gujarat/ ગોંડલમાં વ્યાજખોરો બન્યા બેફામ

ગોંડલના રાજનગર માં રહેતા અને બેકરી નો ધંધો કરતા યુવાને વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હોય પાંચ જેટલા વ્યાજખોરોએ 10 ટકા મુજબ વ્યાજ વસૂલી લઈ વધુ વ્યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે…

Gujarat Others
xzas 1 ગોંડલમાં વ્યાજખોરો બન્યા બેફામ

@વિશ્વાસ ભોજાની, મંતવ્ય ન્યૂઝ – ગોંડલ

ગોંડલના રાજનગર માં રહેતા અને બેકરી નો ધંધો કરતા યુવાને વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હોય પાંચ જેટલા વ્યાજખોરોએ 10 ટકા મુજબ વ્યાજ વસૂલી લઈ વધુ વ્યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજનગર માં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે હરભોલે બેકરી નામે દુકાન ચલાવતા મુકેશ ઠાકુરદાસ વસાણી એ શહેરના નયન જગદીશભાઈ બતાડા રહે વોરાકોટડા રોડ બાપા સીતારામ નગર, કેતન ઉર્ફે કે કે કાળુભાઈ ડાંગર રહે ગોકુળિયા પરા વાળા ફાટક પાસે, જગદીશ ઉર્ફે જગો વસંતભાઈ ચાવડીયા રહે યોગી નગર શેરી નંબર ૨ હવેલી ની બાજુમાં, સાગર રાજુભાઈ જાટીયા રહે ગીતાનગર મેલડી માતાજીના મંદિર પાસે તેમજ જયરાજ કેસુરભાઈ ભેડા રહે વાડાસડા વાળાઓ પાસેથી રૂપિયા 585000 દશ ટકા વ્યાજે લીધેલા હોય સમયસર વ્યાજ અને રકમ ફરવા ઉપરાંત વધુ વ્યાજ ની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા મુકેશ ના પિતા ઠાકૂર ઉદાસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 384 387 504 506 2 તેમજ 114 તથા gujarat money lenders act 2011 ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વ્યાજખોરોએ યુવાન પાસેથી બે બે કોરા ચેક લઈ લીધા હતા અને એક વ્યાજખોરે તો મુકેશ ના નામે બ્રેઝા કાર છોડાવી લીધી હતી અને તેની પાસે રૂપિયા 15500 નો માસિક હપ્તો પણ ભરાવતો હતો અને મોબાઈલ ફોન ઉપર અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો