મંત્રી સામે ફરિયાદ/ કર્ણાટકમાં મંત્રીએ 40 ટકા કમિશન માંગતા કોન્ટ્રાકટરે કરી આત્મહત્યા,FIR નોંધવામાં આવી

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલની આત્મહત્યાના પ્રખ્યાત કેસમાં કર્ણાટકના મંત્રી ઈશ્વરપ્પા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મંત્રી ઈશ્વરપ્પાના સહયોગી બસવરાજ અને રમેશનું પણ એફઆઈઆરમાં નામ છે.

Top Stories India
3 23 કર્ણાટકમાં મંત્રીએ 40 ટકા કમિશન માંગતા કોન્ટ્રાકટરે કરી આત્મહત્યા,FIR નોંધવામાં આવી

કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલની આત્મહત્યાના પ્રખ્યાત કેસમાં કર્ણાટકના મંત્રી ઈશ્વરપ્પા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મંત્રી ઈશ્વરપ્પાના સહયોગી બસવરાજ અને રમેશનું પણ એફઆઈઆરમાં નામ છે. કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના ભાઈ પ્રશાંતની ફરિયાદ બાદ આ FIR થઈ છે. આ પહેલા સંતોષ પાટીલે ખુદ પીએમ મોદીને પત્ર લખીને ઈશ્વરપ્પા પર આરોપ લગાવ્યા હતા. એવું કહેવાય છે કે મંત્રી ઇશ્વરપ્પાએ કામના બદલામાં તેમની પાસેથી 40 ટકા કમિશનની માંગણી કરી હતી.

પાટીલે થોડા દિવસ પહેલા પીએમ મોદીને લખેલો પત્ર પણ સમાચારોમાં હતા. આમાં તેમણે ઈશ્વરપ્પા પર તેમના બાકી બિલ ક્લિયર કરવાના બદલામાં કમિશન માંગવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે બીજેપી નેતા ઈશ્વરપ્પા પર જૂઠ, ભ્રષ્ટાચાર અને અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. ઇશ્વરપ્પાએ પીએમ મોદીને વિનંતી કરી હતી કે તેઓ તેમના બાકી નાણાં કોઈપણ રીતે મેળવી લે.ત્યારે આ અંગે ઇશ્વરપ્પાનું સ્પષ્ટીકરણ પણ આવ્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટરના આરોપોને નકારી કાઢ્યા હતા અને માનહાનિનો કેસ કરવાની પણ ધમકી આપી હતી.

સંતોષ પાટિલ સોમવારે ઉડુપી શહેરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. થોડા સમય પહેલા સંતોષ પાટીલે તેના મિત્રને વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં તેમણે તેમના મોત માટે મંત્રીને જવાબદાર ગણાવ્યા હતા. સંતોષ પાટીલે લખ્યું, ‘મારા મૃત્યુ માટે ઈશ્વરપ્પા જવાબદાર છે. તેમને સજા થવી જોઈએ. મેં મારી બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને આ પગલું ભરવાનું મન બનાવી લીધું છે. હું પીએમ, સીએમ અને યેદિયુરપ્પાને મારા પરિવારની સંભાળ રાખવા વિનંતી કરું છું.

સંતોષના ભાઈ પ્રશાંત પાટીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મંત્રીએ તેમના ભાઈ પાસેથી કમિશન માંગ્યું હતું અને પછી માનહાનિનો કેસ પણ કર્યો હતો. પરિવાર સાથે વાત કર્યા બાદ પોલીસને ખબર પડી કે 11 એપ્રિલના રોજ તે તેની પત્નીને મિત્રો સાથે પિકનિક પર જવાનું કહીને ચાલ્યા ગયા હતા. આ પછી તેની પાસેથી કોઈ માહિતી મળી ન હતી.ત્યારબાદ સોમવારે જ તે ઉડુપીની લોજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના બે મિત્રો પણ એક જ બિલ્ડિંગના અલગ-અલગ રૂમમાં હાજર હતા.

આપઘાત બાદ મામલો આગની જેમ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈનું પણ આ અંગે નિવેદન આવ્યું છે. તેમણે તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે સરકારે આ મામલે દખલ ન કરવી જોઈએ.