@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લખતર શહેરમાં મહિલાઓ દ્વારા દર અગિયારસે પ્રભાતફેરીનું આયોજન કરાય છે. પ્રભાતફેરીમાં જે કાય દાન કે અનાજ આવે તેમાંથી ગાયો માટે લાપસી, લાડવા બનાવામાં આવતા હોય છે.
લખતર ગામની ઉપાશ્રય શેરીમાં રહેતા મહિલાઓ દ્વારા દર અગિયારસનાં દિવસે મહિલાઓ દ્વારા શેરીએ શેરીએ ફરીને રામધુન બોલાવીને પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે છે. જે પ્રભાત ફેરીમાં ગામનાં લોકો દ્વારા જે કાય દાન રૂપિયા કે અનાજ આવે છે, તે લખતરની મહિલાઓ દ્વારા એ અનાજમાંથી જાતે ગાયો માટે લાપસી લાડવા જેવી વસ્તુઓ બનવામાં આવે છે. તેમજ પારેવાને ચણ નાખવા જેવા કાર્ય હાથ ધરવામાં આવે છે. ત્યાંરે આજે પુત્રદા એકાદશી નિમિતે લખતરની ઉપાશ્રય શેરીની મહિલાઓ દ્વારા આજે લખતર પાંજરાપોળ ખાતે જઈને ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા.
Ahmedabad: કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ
Rajkot / સમરથ કો નહી દોષ ગુંસાઈજી : સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપના ત્રીજા મંત્રી કોરોના સંક્રમિત
Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ NCP પણ થઈ સક્રિય, સુરતમાં 20 ઉમેદવારના નામ..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…