અજમેર,
અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગનાર એક વૃદ્ધ મહિલા દેવકી શર્માની આજીવન જમા કરેલ રકમ, પુલવામાં શહીદ થયેલ સૈનિકોના પરિવારોને સમર્પિત કરી દીધી હતી. જણાવીએ કે દેવકીની ઇચ્છા પર આ થયું જેનું મૃત્યુ આશરે 6 મહિના પહેલા થયું હતું.
અજમેરના બજરંગ ગઢમાં સ્થિત માતા મંદિરની બહાર છેલ્લા સાત વર્ષથી દેવકી શર્મા ભીખ માંગીને તેનું ગુજરાન ચલાવતી હતી. મૃત્યુ પહેલા આ મહિલાએ લોકો દ્વારા આપવામાં આવેલ ભીખથી 6,61,600 રૂપિયાની રકમ જમા કરી હતી, જે બજરંગ ગઢના આંતરછેદમાં આવેલી બેંક ઓફ બરોડા ખાતામાં જમા કરાઈ હતી.
દેવકીએ તેના જીવન દરમિયાન જય અંબે માતા મંદિરના ટ્રસ્ટીને કહ્યું હતું કે તેણીના મૃત્યુ પછી આ રકમ કોઈ સારા કાર્યમાં ખર્ચવામાં આવે.
મંદિર ટ્રસ્ટી સંદીપના જણાવ્યા મુજબ, દેવકી શર્માની છેલ્લી ઇચ્છા હવે પૂર્ણ કરવામાં આવી છે જ્યારે આ રકમ અજમેર કલેક્ટર વિશ્વ મોહન શર્માને બેંક ડ્રાફ્ટ દ્વારા સોંપવામાં આવી.
દેવકીએ ભીખ દ્રારા જે રકમ કમાઇ તે મુખ્યમંત્રીના ફંડને સમર્પિત કરવામાં આવી છે. આ મહિલાની છેલ્લી ઇચ્છા મુજબ, આ રકમનો ઉપયોગ રાજસ્થાનના શહીદોના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવશે જેઓ પુલવામા હુમલામાં શહીદ થયા છે.
આપને જણાવી દઈએ કે દેવકી ભીખથી જમા થયેલ પૈસા ઘરે પણ રાખતી હતી. થોડા દિવસ પહેલા દેવકીનું અવસાન થયું હતું. જ્યારે તેની પથારીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી દોઢ લાખ રૂપિયા બીજા મળ્યા. આ રકમને પણ બેંકમાં સમિતિ દ્વારા જમા કરાઈ હતી. સારા કામો માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવે તેવી દેવકીની ઇચ્છા હતી. દરમિયાન, પુલવામાની ઘટના પછી શહીદ પરિવારને રકમ આપવા માટે સંમત થયા.