વિદેશ મંત્રાલયના સૂત્રોનું માનવામાં આવે તો, આ મુદ્દા પર તૃતીય પક્ષની કોઈ જરૂર નથી. અમેરિકા તેની શરૂઆતથી જ રહ્યું છે અને ચીનની નીતિ અસ્પષ્ટ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુએનના બધા જ મેમ્બર અને પી 4 સભ્યોના ભારતના સાથે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સરહદમાં દાખલ થઇ જે કાર્યવાહી કરી છે તેના પર કોઈ વિરોધ થયો નથી. તે રાજદ્વારી જીત છે. ભારતે માંગણી કરી છે કે તેમના પાયલોટ ને તરત જ છોડવામાં આવે અને તેને કોઈ નુકસાન ના પહોંચાડે. ભારત સ્પષ્ટ જણાવ્યું હતું કે જો પાઇલોટ ને કઈ થાય તો, ભારત પગલાં લેશે.
પાયલોટની સલામત મુક્તિ માટે ભારત કોઈ સોદો કરશે નહીં. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તે તેના પાયલોટની સલામત મુક્તિ માટે કોઈ સોદો કરશે નહીં. આ સાથે, એક સખત ચેતવણી આપી છે કે પાઇલટને કઈ થયું તો સખત પગલાં લેવામાં આવશે. દરમિયાન જાણવા મળ્યું છે કે 5 વાગ્યે આર્મી, એરફોર્સ અને નેવી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે