પાકિસ્તાનના વિદેશમંત્રી Khwaja Aasif ભારતને પાકમાંં સર્જીકલ હુમલા કરવા તેમજ પરમાણુ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા વિરૂદ્ધ ચેતવણી આપતા કહ્યું છે તે ભારત જો આવું કાંંઈ પણ કરશે તો કોઈપણ દેશ પાક પાસે સંયમની આશા ના રાખે. આ પહેલા ભારતના વાયુસેના પ્રમુખ બી એસ ધનોવાએ જણાવ્યું હતુંં કે ભારતીય સૈન્ય બળ એક વ્યાપક અભિયાન માટે તૈયાર છે.
આસિફે તેમના નિવેદન તરફ ઈશારો કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પાકિસ્તાન પોતાના પડોશી દેશો સાથે શાંતિ તેમજ સદ્ભાવથી રહેવા ઈચ્છે છે, પણ ભારત પાકિસ્તાનમાં સર્જિકલ હુમલા કરે છે કે પછી પરમાણુ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવે છે. મહત્વની વાત એ છે કે જો ભારત હવે આવું કાંઈ પણ કરશે તો કોઈપણ દેશે પાક પાસે શાંતિની આશા રાખવી નહિં. આસિફે વોશિંગ્ટન સ્થિત થિંક ટૈંક યૂએસ ઈન્સ્ટીટયૂટ ઓફ પીસમાં પોતાના એક સંબોધન દરમિયાન જણઆવ્યું હતું કે, ભારતની સાથેના સંબંધો આ સમયે સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયા છે.