મહારાષ્ટ્રના નાગપુરમાં યુનિયન મિનિસ્ટર નિતીન ગડકરીના ફાર્મ હાઉસમાં ચાલતી સૌન્દર્ય પ્રસાધનની કંપનીના બોયલરમાં વિસ્ફોટ થવાથી એક મજદૂરનું મોત નીપજ્યું છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી.
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીના વતન એવા મહારાષ્ટ્રના નાગપુર નજીકના ધવેપાડા ગામમાં તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં તેમના પત્ની કાંચન ગડકરી પોતાની કાંચન ઇન્ડિયા નામની સૌન્દર્ય પ્રસાધનની કંપની ચલાવે છે. આ કંપનીની મોટાભાગની પ્રોડક્ટનું ઉત્પાદન તેમના આ ફાર્મ હાઉસમાં જ કરવામાં આવે છે. અહિયાં સૌન્દર્ય પ્રસાધનની પ્રોડક્ટ્સને ઝડપથી ગરમ કરવા માટે બોયલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કંપનીની પ્રોડક્ટ બનાવવા કેટલાક મજદૂરો કામ કરે છે.
ગઈકાલે મંગળવારે સાંજે આં કંપનીના બોયલરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે કામ કરી રહેલા એક મજદૂર પદ્માકર શ્રીરાવ નામના ૪૫ વર્ષીય મજદૂરનું મોત નીપજ્યું હતું. જયારે આ વિસ્ફોટમાં અન્ય કેટલાક મજદૂરો પણ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટ થયો હતો તે સમયે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના પત્ની અને કંપનીના માલિક એવા કાંચન ગડકરી પણ કંપનીમાં ઉપસ્થિત હતા.