દિલ્હી,
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે રાજધાની નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, તે દરમિયાન તેઓની સાથે ટીએમસી નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ હતા. મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાન સાથે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગાળમાં લેવાની ચર્ચા કરી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ તેમણે કહ્યું કે ગૃહ પ્રધાનને એનઆરસી સંબંધિત એક પત્ર આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જેઓ એનઆરસી ચૂકી ગયા છે તેમને તક મળવી જોઈએ. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ તેમના મામલાની તપાસ કરવાનું કહ્યું છે. આપને જણાવી દઇએ કે ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ સાથે સીએમ મમતાની આ પહેલી મુલાકાત હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.