મેરઠ
બુલંદશહેરમાં ગૌહત્યા બાદ થયેલી હિંસાના પગલે મેરઠ પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. મેરઠની પોલીસે ગામના લોકોને ગૌહત્યા નહી કરે તેના કેસમાં સંકલ્પ લેવડાયા છે. ગામમાં અલગ-અલગ જગ્યાએ જઈને બેઠક કરીને ગૌહત્યા નહી કરીએ તેવો સંકલ્પ લેવડાવી રહ્યા છે.
#WATCH: Pledge administered to locals by police in a village in Meerut, "we take a pledge that cow slaughtering won't be allowed in our village & nearby areas. We"ll also be socially boycotting those involved in such acts & will hand them over to the police. Jai Hind, Jai Bharat" pic.twitter.com/KBW3XtAozx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 14, 2018
પોલીસે આ મામલે એક ટીમ બનાવી છે. તેઓ પબ્લિકને જાગૃત કરી રહ્યા છે કે તેઓ ગૌહત્યામાં શામેલ ન થાય કારણકે ગૌહત્યા એ કાનુન વિરુદ્ધ છે.
પોલીસે લોકોને સંકલ્પ તો લેવડાયા જ અને સાથ કહ્યું પણ કે જો તેમના ધ્યાનમાં કોઈ વ્યક્તિ ગૌહત્યા મામલે નજર આવશે તો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.
SP Meerut Rajesh Kumar: The Station House Officer (SHOs) of police stations are holding meetings in villages that are infamous for cow slaughtering like Kithore, Malyana, and making villagers pledge against cow slaughter. It has made a good impact. pic.twitter.com/CM8N0S0Nlw
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 14, 2018
મેરઠના એસપી રાજેશ કુમારે કહ્યું કે પોલીસ લોકોએન ગૌહત્યામાં શામેલ ન થવાના સંકલ્પ લેવડાવી રહ્યા છે કારણ કે આ પ્રકારના કેસમાં કાનુન વ્યવસ્થા ઘણી ખરાબ થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે ૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે બુલંદશહેરમાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ અને એક સ્થાનિક યુવકનું મોત થયું હતું.
