Not Set/ મેરઠની પોલીસે ગામ લોકોને ગૌહત્યાના કેસમાં શામેલ ન થવાના લેવડાયા સંકલ્પ

મેરઠ બુલંદશહેરમાં ગૌહત્યા બાદ થયેલી હિંસાના પગલે મેરઠ પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. મેરઠની પોલીસે ગામના લોકોને ગૌહત્યા નહી કરે તેના કેસમાં  સંકલ્પ લેવડાયા છે. ગામમાં અલગ-અલગ જગ્યાએ જઈને બેઠક કરીને ગૌહત્યા નહી કરીએ તેવો સંકલ્પ લેવડાવી રહ્યા છે. #WATCH: Pledge administered to locals by police in a village in Meerut, "we take a […]

Top Stories India Trending
1544841163 meerut police મેરઠની પોલીસે ગામ લોકોને ગૌહત્યાના કેસમાં શામેલ ન થવાના લેવડાયા સંકલ્પ

મેરઠ

બુલંદશહેરમાં ગૌહત્યા બાદ થયેલી હિંસાના પગલે મેરઠ પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. મેરઠની પોલીસે ગામના લોકોને ગૌહત્યા નહી કરે તેના કેસમાં  સંકલ્પ લેવડાયા છે. ગામમાં અલગ-અલગ જગ્યાએ જઈને બેઠક કરીને ગૌહત્યા નહી કરીએ તેવો સંકલ્પ લેવડાવી રહ્યા છે.

પોલીસે આ મામલે એક ટીમ બનાવી છે. તેઓ પબ્લિકને જાગૃત કરી રહ્યા છે કે તેઓ ગૌહત્યામાં શામેલ ન થાય  કારણકે ગૌહત્યા એ કાનુન વિરુદ્ધ છે.

પોલીસે લોકોને સંકલ્પ તો લેવડાયા જ અને સાથ કહ્યું પણ કે જો તેમના ધ્યાનમાં કોઈ વ્યક્તિ ગૌહત્યા મામલે નજર આવશે તો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.

મેરઠના એસપી રાજેશ કુમારે કહ્યું કે પોલીસ લોકોએન ગૌહત્યામાં શામેલ ન થવાના સંકલ્પ લેવડાવી રહ્યા છે કારણ કે આ પ્રકારના કેસમાં કાનુન વ્યવસ્થા ઘણી ખરાબ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે ૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે  બુલંદશહેરમાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ અને એક સ્થાનિક યુવકનું મોત થયું હતું.