મહારાષ્ટ્રમાં દસ દિવસ સુધી માનવમાં આવી રહેલ ગણેશોત્સવ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.દેશના સૌથી ધનવાન ગણપતિ મંડળ એટલે કે જીએસબી (ગૌડ સારસ્વત બ્રાહ્મણ) સેવા મંડળની પાસે આ વખતે 266.65 કરોડ રૂપિયાનો વીમા કવર લીધો છે. આ ગત વર્ષ કરતા 1.65 કરોડ. વધુ છે.
વીમામાં તેમને કરવામાં આવ્યા છે કવર
2017 અને 2018 માં મંડળ પાસે અનુક્રમે 264.25 કરોડ અને 265 કરોડ રૂપિયાનું વીમા કવચ હતું. દેશના સૌથી ઘનવાન ગણપતિ મંડળ તરીકે જાણીતા જીએસબી સેવા મંડળ પણ તેના પંડાલો, મૂર્તિઓ, ઝવેરાત, સ્વયંસેવકો અને શ્રમિકો માટે વીમો લે છે. એટલુ જ નહિઁ ફાળો, શાકભાજી અને કરિયાણાના 2200 થી વધુ શ્રમિકો/ સ્વયંસેવકો સાથે કવર કર્યો છે. સ્વયંસેવકો અને અન્ય લોકો માટે વ્યક્તિગત દુર્ઘટના કવર 224.90 કરોડ રૂપિયા છે, જે કુલ વીમા ધનનો સૌથી મોટો ભાગ છે.
ગણપતિ બાપા ઘારણ કરશે 20 કરોડના આભૂષણ
ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળની શરૂઆત 1951 માં થઈ હતી. આ વખતે અહીંનું પંડાલ 70 હજાર ચોરસ ફૂટથી વધુનું છે. આ વખતે ગણેશ લગભગ 20 કરોડના સોના, ચાંદી, હીરા અને અન્ય કિંમતી નંગોના આભૂષણ પહેરશે. તેથી સુરક્ષા અને સર્વેલન્સ માટે લગભગ 100 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 4,500 સુરક્ષાકર્મીઓ પણ સિસ્ટમમાં તૈનાત રહેશે.
આ વખતે મુર્તિની ઊંચાઈ 14 ફિટની હશે
જીએસબી સર્વજનિક ગણેશોત્સવ સમિતિના આરજી ભટે જણાવ્યું હતું કે મંડળના ગણેશજીની મૂર્તિની ઉંચાઇ 14 ફૂટની છે. ગણપતિ કરોડો રૂપિયાના આભૂષણ પહેરે છે, હાલ લગભગ 266.65 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
લાલબાગના રાજાનો 51 કરોડનું કવર
જીએસબી વડાલાએ પણ આ વર્ષે તેનું વીમા કવર રૂ .50 કરોડથી વધારીને 55 કરોડ કર્યું છે. લાલબાગના રાજાએ ગયા વર્ષે 51 કરોડનું વીમા કવર લીધું હતું. આ વર્ષે પણ લાલબાગના ગણપતિ મંડળે આવી જ રકમનો કવર લીધું છે.
મુંબઇના રાજા ગણેશ ગલ્લી માટે મંડલે આ વર્ષે સાડા સાત કરોડ રૂપિયાનો વીમો લીધેલ છે. ગયા વર્ષે પણ રૂ .6.5 કરોડનું કવર હતું. બોલીવુડના પ્રિય ગણાતા અંધેરીના રાજા માટેનું કવર પણ આ વર્ષે વધારવામાં આવ્યું છે.
વીમા કંપનીઓ પણ આને કમાવવાની તક તરીકે જુએ છે.
દસ દિવસીય ગણેશોત્સવ માટે વીમા કંપનીઓ ખાસ વીમા કવર તૈયાર કરે છે. સામાન્ય રીતે દરેક ગણપતિ મંડળના વિવિધ કદ અને આવશ્યકતા અનુસાર તૈયાર કરવામાં આવે છે. પરંતુ વ્યાપક રૂપે વીમા કવર, બાપ્પાને ચડાવવામાં આવતા ઘરેણાંનો વીમો લે છે.સાથે જ ગણપતિ મંડળ, આગ, ચોરી, આતંકવાદી ઘટના, અથવા પ્રસાદ ખાવાથી બીમાર થવાના કિસ્સામાં કોઈ દાવા ન થાય તે માટે સ્વયંસેવકોનો વીમો પણ આવરી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.