Not Set/ રોહિત શેખરની હત્યા કર્યા બાદ પત્ની અપૂર્વાએ આ રીતે નષ્ટ કર્યા પુરાવા

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત એન ડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનો મામલો અંતે પોલિસે ઉકેલી લીધો છે. આ હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અંતે જેની પર શંકાની સોય સેવાઇ રહી હતી તે રોહિતની જ પત્ની અપૂર્વા શુક્લાએ રોહિતની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે અપૂર્વાની ધરપકડ કર્યા બાદ તેની વધુ પૂછપરછ કરી હતી. પોલિસે […]

India
Apporva rohit shekhar tiwari 1212 રોહિત શેખરની હત્યા કર્યા બાદ પત્ની અપૂર્વાએ આ રીતે નષ્ટ કર્યા પુરાવા

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત એન ડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનો મામલો અંતે પોલિસે ઉકેલી લીધો છે. આ હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અંતે જેની પર શંકાની સોય સેવાઇ રહી હતી તે રોહિતની જ પત્ની અપૂર્વા શુક્લાએ રોહિતની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે અપૂર્વાની ધરપકડ કર્યા બાદ તેની વધુ પૂછપરછ કરી હતી. પોલિસે કરેલી સઘન પૂછપરછ બાદ અપૂર્વાએ ગુનાની કબુલાત કરી હતી.

રોહિત શેખરની હત્યાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ બાદ અનેક ચોંકવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલિસના દાવા અનુસાર રોહિત શેખરની હત્યા તેની પત્નીએ ગળુ દબાવીને કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર રોહિતના કાનની પાછળથી માથા તરફ જઇ રહેલી નસ ફાટી ગઇ હતી અને નાકમાંથી લોહી વહેતું હતું. પોલિસે અપૂર્વાને નષ્ટ કરેલા પુરાવાઓ વિશે પણ જાણકારી આપી હતી.

અપૂર્વાએ રોહિતની હત્યા કર્યા હોવાનો ગુનો કબુલ્યા બાદ પોલિસે જાણકારી આપી હતી કે અપૂર્વાએ હત્યા બાદ રોહિતના રૂમમાંથી લોહી સાફ કર્યું હતું. તપાસ એજન્સીએ રોહિતના રૂમમાંથી લોહીના ડાઘાવાળા ટિશ્યુ પણ એકત્ર કર્યા હતા. ટિશ્યુ પેપરથી જ અપૂર્વાએ રોહિતના લોહીને સાફ કર્યું હતું.

અપૂર્વાએ ગુનાની કબુલાત કરતા પહેલા ખૂબજ આનાકાની કરવા ઉપરાંત નિવેદનોમાં પણ પલટો કર્યો હતો પરંતુ પોલિસની સખ્તાઇ બાદ અપૂર્વાએ ગુનાની કબુલાત કરી હતી. પોલિસે સાઇન્ટિફિક તપાસ અને એફએસએલના રિપોર્ટ બાદ અપૂર્વાની ધરપકડ કરી હતી.

પોલિસ અધિકારીઓ હાલમાં રોહિતના બેડના કોંકડાને ઉકેલવામાં વ્યસ્ત છે. હકીકતમાં રોહિત સિંગલ બેડ પર એકલો જ સુતો હતો છતાં તેના બેડ પર 8-9 ગાદલા પથરાયેલા હતા. આ ગાદલા પર રોહિત સુતો હતો કે પછી તેની હત્યા બાદ તેને પાથરવામાં આવ્યા હતા તે લઇને પોલિસ હાલ ગૂંચવણમાં મુકાઇ છે.