મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કર્મસ્થળ GORAKHPUR ના બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં તમામ તપાસ તથા પૂર્વ પ્રાચાર્ય સહિત નવ લોકોની ધરપકડ થયા બાદ પણ પરિસ્થિતીમાં કોઈ સુધારો નથી. બાબા રાધવદાસ મેડિકલ કોલેજમાં છેલ્લા 24 કલાકમાં 16 માસૂમ બાળકોનો મોત નીપજ્યા છે.
Gorakhpur: 16 more children die in the last 24 hours
આમાંથી 10 મોત નવજાત ICU જ્યારે 6 પીડિયાટ્રીક ICUમાં થવા પામી છે. આ 6માંંથી એક બાળક ઈંસેફ્લાઈટીસથી પીડિત છે. મેડિકલ કોલેજમાંથી મળેલી જાણકારી અનુસાર ઈંસેફ્લાઈટીસથી મરનારામાં વસ્તીની બે વર્ષની બાળકી તેમજ મહારાજગંજના 38 વર્ષના નાગરિકનો પણ સમાવેશ થાય છે.