ભારતમાં ભૂખમરાને લીધે દર વર્ષે કેટલાય લોકો મોતને ભેટે છે. દેશ હાલમાં હાલ કુપોષણની સમસ્યા હાલ ટોપ લેવલની થઇ ગઈ છે .
દુનિયાભરમાં કુપોષણને લીધે ૩૧ ટકા અવિકસિત બાળકો માત્ર ભારતમાં છે. આ મામલે ભારત આખા વિશ્વામાં પ્રથમ નંબરે છે.
બુધવારે વૈશ્વિક પોષણ રીપોર્ટ -૨૦૧૮માં અ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો .
ઇન્ટરનેશનલ ફૂડ પોલીસી રીસર્ચ ઇન્સ્ટીટયુટના રીપોર્ટ પ્રમાણે આખા વિશ્વમાં ૫ વર્ષથી ઓછી ઉંમર ના ૧૫.૦૮ કરોડ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.
કુપોષણના બાળકોમાં ભારત પણ દુનિયાના ૭ દેશોમાં શામેલ છે.આ લીસ્ટમાં બીજા દેશમાં અમેરિકા, ચીન, પાકિસ્તાન, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા અને ઈજીપ્ત શામેલ છે.
આ રીપોર્ટ માટે દુનિયાના ૧૪૧ દેશોમાં અવલોકન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો .