પાકિસ્તાને રવિવારે સુંદરબની અને નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ સમય દરમિયાન, પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબારની સાથે જ મોર્ટાર પણ ચલાવ્યો હતો. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે.
આ અગાઉ શનિવારે પણ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ સમય દરમિયાન, ફાયરિંગ મોર્ટાર ઉપરાંત રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
તો બીજી બાજુ પાકિસ્તાની સેનાએ બુધવારે સતત બીજા દિવસે પાલાંવાલા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બે કલાકમાં 25 શેલ ફાયર થયા હતા. જો કે તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પાકિસ્તાની સેનાએ બુધવારે સાંજે 6.15 વાગ્યે પાલાંવાલા સેક્ટરના બારડોક ગામના રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ ગોળીબારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘણા ગામલોકો સલામત સ્થળોએ ખસેડ્યા હતા. મંગળવારે પણ પાકિસ્તાની સેનાએ પાલાંવાલા સેક્ટરમાં રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આમાં બે મકાનોને નુકસાન પહોંચ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.