મુંબઇ,
ભારતના ઉદ્યોગપતી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે 14 ફેબ્રુઆરીએ પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 થી વધુ જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ અને રોજાગારી પુરી પાડવાની ઈચ્છા વ્યકત કરી અને જવાબદીરી લીધી હતી એટલું જ નહીં રિલાયન્સ ફાઉન્ડેશને આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને રીકવરી ના થાય ત્યાં સુધી સારવારની પણ જવાબદારી લીધી હતી. રિલાયન્સના પ્રવકતાએ જણાવાયું કે ”આ દુઃખદ ક્ષણે સમગ્ર રિલાયન્સ કંપની જમ્મુમાં થયેલા હુમલામાં શાહિદોના પરિવારની સાથે છે ”
”દુનિયાની કોઈપણ તાકાત ભારતની એકતાને ખંડિત નહિ કરી શકે અને ના તો ઇન્સાનિયતના દુશ્મનો આતંકીઓને ખત્મ કરવાના આપણાં સંકલ્પ ને હરાવી શકશે નહીં ”
”ભારતીય નાગરિક તેમજ કોર્પોરેટ નાગરિક તરીકે, અમે આ દુઃખ ક્ષણે સુરક્ષાદળ અને સરકાર સાથે ઊભા છીએ.”
શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું કે, ” રિલાયન્સ ફાઉન્ડેશન શહીદોના પરિવારની આજીવિકા અને તેમના બાળકોની રોજગાર સાથેની સંપૂર્ણ જવાબદારી લેશે. જો જરૂરી હોય તો, અમારા હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત જવાનોને બધી શક્ય સારવાર કરવામાં આવશે. જો સરકાર કોઈ અન્ય જવાબદારી સોંપે, તો આપણે તે લેવા માટે તૈયાર છીએ. “