જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓએ આરએસએસના નેતા અને તેની સુરક્ષામાં તહેનાત જવાન પર ફાયરિંગ કર્યું હતું. ઘાયલ અવસ્થામાં પીએસઓ અને આરએસએસ નેતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ઇલાજ દરમિયાન પીએસઓનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે.
મંગળવારે બપોરે કિશ્તવાડની હોસ્પિટલમાં ઘુસીને આતંકીઓએ સીનિયર ફાર્માસિસ્ટ તેમજ આરએસએસ નેતા ચંદ્રકાંત શર્મા અને તેના પીએસઓ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં પીએસઓનું મોત થયું હોવાની માહિતી મળી છે.
નોંધનીય છે કે ગત નવેમ્બર માસ દરમિયાન પણ આતંકીઓએ બીજેપીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેના મોટા ભાઇ અજીત પરિહારની ટપ્પલ ગલીમાં નિર્દયી રીતે હત્યા કરી હતી. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.