શિવસેનાના નેતા સંજય રાઉતે નાગરિકતા સુધારણા બિલ અંગે શિવસેનાની તરફેણ કરતા કહ્યું કે આ બિલ લોકસભામાંથી પાસ થયા બાદ રાજ્યસભામાં આવ્યું છે. ગઈકાલથી હું જોઈ રહ્યો છું અને સાંભળી રહ્યો છું કે, જે આ બિલનું સમર્થન નહીં કરે તે દેશદ્રોહી છે અને જે તેનું સમર્થન કરશે તે દેશભક્ત છે. જે આ બિલનું સમર્થન નહીં કરે તે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે.આપણને કોઈની પાસેથી દેશભક્તિના પ્રમાણપત્રની જરૂર નથી. તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના અમે હેડ માસ્ટર રહીએ ચુક્યા છીએ.
સંજય રાઉતે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે, આ સાચું છે પરંતુ આ માટે વોટબેંકનું રાજકારણ ન હોવું જોઈએ. તેમણે કહ્યું,ઘુસણખોરો અને શરણાર્થીઓ વચ્ચે ફરક છે. શું સરકાર ઘુસણખોરોને હાંકી કાઢશે? રાજનીતિ શરણાર્થીઓ ઉપર ન થવી જોઈએ. ચર્ચા માનવતા પર આધારિત બિલ પર છે.
તેમણે એમ પણ કહ્યું કે આપણે કેટલા દેશભક્ત કે ચુસ્ત હિન્દુ છીએ તેનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તમે કદાચ જાણતા ન હોવ કે તમે જે શાળામાં ભણો છો અમે ત્યાંના હેડ માસ્ટર રહીએ ચુક્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.