ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ‘વર્ટિકલી લોંચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ’ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ લગભગ 15 કિમીના અંતરે સ્થિત દુશ્મનોના નિશાનને ખતમ કરી શકે છે.
RM Shri @rajnathsingh has congratulated @DRDO_India , @indiannavy and the industry for the successful flight test of Vertical Launch Short Range Surface to Air Missile. He said that this system would further enhance defence capability of Indian Naval Ships against aerial threats. pic.twitter.com/chnlpP3ct7
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) December 7, 2021
DRDO એ જણાવ્યું છે કે VL-SRSAM ને ભારતીય નૌકાદળ માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય દરિયાઇ-સ્કિમિંગ લક્ષ્યો સહિત સરહદ પરના વિવિધ હવાજન્ય જોખમોને નિષ્ક્રિય કરવાનો છે. ડીઆરડીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખૂબ જ ઓછી ઉંચાઈ પર સ્થિત ઈલેક્ટ્રોનિક લક્ષ્યને નષ્ટ કરવા માટે આ મિસાઈલને વર્ટિકલ લોન્ચરથી છોડવામાં આવી હતી.