Gujarat/ રેસિડેન્ટ ડોકટરોએ એક અઠવાડિયા માટે હડતાળ પાછી ખેંચી

આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરની પગાર વધારાની માંગણી ઉપર ચર્ચા વિચારણા કરી અને મેડિકલ ઓફિસર જેટલો રૂ. ૬૩ હજાર પગાર આપવા સરકારનો નિર્ણય લીધો છે.

Top Stories Gujarat Others
ભાવ 3 5 રેસિડેન્ટ ડોકટરોએ એક અઠવાડિયા માટે હડતાળ પાછી ખેંચી

ગુજરાત રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટર છેલ્લા કેટલાય સમયથી હડતાળ પર ઉતર્યા હતા. તેમની પડતર માંગણી નહીં સંતોષતા રાજ્યના ડોક્ટરોએ હડતલનો વિકલ્પ પસંદ કરવો પડયો હતો. જેને પગલે રાજ્યના અનેક દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે આજ રોજ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે ડોકટરો સાથે વાતચીત થઈ છે. અને આગામી એક અઠવાડિયા સુધી તેઓ પોતાની હડતાળ પાછી ખેચવા માટે રાજી થયા છે.

આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરની પગાર વધારાની માંગણી ઉપર ચર્ચા વિચારણા કરી અને મેડિકલ ઓફિસર જેટલો રૂ. ૬૩ હજાર પગાર આપવા સરકારનો નિર્ણય લીધો છે. શરતોને આધિન પગારને લઈને સરકારનું આયોજન છે.

પીજી એડમીશન પુર્ણ થાય ત્યાં સુધી નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ૫૦ ટકાની મર્યાદામાં ફરજ પર લઈ શકાશે.  242 જેટલા ડોક્ટર ની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી માન્ડવીયા એ ખાતરી આપી છે. કે ડોક્ટર ના પ્રશ્ન નો ઉકેલ આવશે.  ડોકટરો ના કાર્યભારણ ને ઘટાડવા સરકારે નિર્ણય કર્યો છે. એડમિશન પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોટલ સંખ્યામાં 50% માં હંગામી ધોરણે નિમણૂક કરાશે. અમદાવાદ સુરત વડોદરા ભાવનગર જામનગર માં રેસિડેન્સીઅલ dr ની નિમણૂક કરાઈ છે. 63000 ના પગારે 50 % જગ્યા ભરવામાં આવે છે.

543 જેટલા ડોક્ટરની નિમણૂક રાજ્ય માં થાય એવી સત્તા આપવામાં આવશે. એક સપ્તાહ માટે હડતાળ સ્થગિત રાખી છે. 16/5 ના ઠરાવ અંગે પણ સરકાર ના ચર્ચા ચાલી રહી છે. 16/ 5 ના ઠરાવ માં વાટા ઘાટા અંતે જે નિર્ણય આવશે એને વળગી રહેવામાં આવશે. અત્યાર સુધી 100 જેટલા એડહોક ને કાયમી કરવામાં આવ્યા છે. ડિન દ્વારા નિમણૂક કરાયેલા ભરતી હંગામી રહેશે. 500 નર્સ ને બઢતી અપાઈ છે. સરકાર પ્રો એક્ટિવ છે. સરકાર જ્યારે પોઝિટિવ હોય ત્યારે ડૉક્ટર મિત્રો એ પણ સહકાર લેવો જોઈએ. સરકાર જ્યારે જરૂર જણાય ત્યારે કડક વલણ પણ લઇ શકાશે

બીજે મેડિકલ  દ્વારા  હડતાલ પાછી ખેંચવાની વાત ઓફીસિયલ લેટર દ્વારા જાણ કરાઈ છે. તબીબી શિક્ષણ માં પણ ભરતી થઈ છે.

આવી હતી હડતાલ પર ઉતરેલા તબીબોની માંગ
1. નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછળ ટેલાવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત પુરવા તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટ ડોકટર્સની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની ફાળવણી તથા નિમણૂક કરવામાં આવે.

2. સિનિયર રેસિડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પદ્વતિ 2018ની બેચ પુરતી માન્ય ગણવામાં આવી છે. પરંતુ તેનાથી કુશળ તબીબો સંલગ્ન હોસ્પિટલો તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં મળી છે. જેથી આવનારી બેચમાં આ પદ્વતિને લાગુ કરવામાં આવે.

3 .યુજી, પીજી તથા સુપરસ્પેશ્યાલિટી રેસિડેન્ટ ડોક્ટર્સ માટે સળંગ બોન્ડ પદ્વતિ લાગુ કરવામાં આવે.

4. બોન્ડેડ તબીબોની નિમણૂક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશ્યાલિટી પ્રમાણે કરવામાં આવે.

Kutch / રણની ચાંદનીએ જમાવ્યું આકર્ષણ, રણોત્સવમાં આવ્યા અધધધ પ્રવાસી..

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?

કચ્છ / અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ