ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝની પ્રથમ મેચ આજે દિલ્લીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મુકાબલો સાંજે ૭ વાગ્યે શરુ થશે. ત્યારે આ મેચ ભારતના સિનીયર ઝડપી બોલર આશિષ નેહરાની અંતિમ મેચ હશે.
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે એક પણ ટી-૨૦ મેચ જીતવામાં સફળ રહી નથી ત્યારે ભારતીય ટીમ આ મેચ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. હાલ રમાયેલી વન-ડે સિરીઝમાં ભારતે ૨-૧ થી શ્રેણી જીતી હતી.
બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમમાં પણ કેપ્ટન કેન વિલિયમ્સન, માર્ટિન ગુપ્ટીલ, ટોમ લેથમ, હેનરી નિકોલસ તેમજ રોસ ટેલર જેવા નુભવી બેટ્સમેન છે. ત્યારે ઇન્ડિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.