ટીમ ઇન્ડિયાએ પુણે વનડેમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવી 3 મૈંચોની સિરીઝ 1-1 થી બરાબર કરી લીઘી છે. મુંબઇમાં થયેલી હાર પછી, ભારતીય ટીમે જોરદાર વાપસી કરતા શ્રેણીમાં પોતાની આશા જીવિત રાખી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી ન્યુઝિલેન્ડને ટીમ ઈન્ડિયાએ જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં ભારતીય ટીમએ 46 ઓવરમાં 232 રન બનાવીને 6 વિકેટ થી સરળ જીત હાસિલ કરી લીધી હતી. જસપ્રિત બુમરા પણ જયારે બૉલિંગ માટે મૈંદાન પર આવ્યો હતો ત્યારે તેણે ચોથા ઓવરમાં જ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે શિખર ધવનએ 68 રન કર્યા હતા જ્યારે દિનેશ કાર્તિકએ 64 રન બનાવ્યા હતા.જયારે હાર્દિક પંડ્યાએ 30 રનની એક જોરદાર ઇનિંગ રમી હતી. હવે શ્રેણીનો નિર્ણય રવિવારના રોજ કાનપુરમાં યોજાયેલી વનડેમાં થશે . ભુવનેશ્ર્વર કુમારને ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.