કેનેડામાં એક ભારતીયની હત્યાનો મામલો સામે આવ્યો છે. કેનેડાના ટોરેન્ટો શહેરમાં ભારતીય યુવકની ડેડ બોડી તેના ઘર નજીક ઝાડ પરથી લટકેલી હાલતમાં મળી આવી હતી.
મૃતક પંજાબનો રહેવાસી હતોં ને તે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કેનેડા આવ્યો હતો.
વિશાલ કેનેડામાં તેના મિત્રની સાથે રહેતો હતો જે પંજાબનો જ રહેવાસી હતો. મૃતક વિશાલ ના પિતા રાજ્ય સરકાર વિભાગમાં ક્લાર્કની નોકરી કરે છે તેમણે વિશાલને કેનેડા મોકલવા માટે ૮ લાખ રૂપિયા ઉધાર લીધા હતા.
રવિવારે રાત્રે પોલીસે વિશાલના ઘરે તેના મોત અંગેની જાણકારી આપી હતી. યુવકની ઓળખાણ ૨૧ વર્ષીય વિશાલ શર્મા તરીકે થઇ છે.
વિશાલના મોતના સમાચાર સાંભળીને આખું પરિવાર શોકમાં ડૂબેલું છે. કેનેડાની પોલીસે મૃતકના પિતાને જણાવ્યું છે કે હાલ તેઓ મામલાની તપાસ કરી થયા છે. ત્રણ દિવસની અંદર તેઓ આ કેસની તપાસ કરી દેશે.જો કે પોલીસને કોઈ પર શંકા ગઈ નથી અને આ હત્યા હતી કે આત્મહત્યા તેની પણ કોઈ જાણકારી નથી.
તો બીજી તરફ તેના પરિવારનું કહેવું છે કે વિશાળ કોઈ દિવસ આત્મહત્યા ન કરી શકે. તે ઘરથી દૂર આવું કામ કેમ કરે આત્મહત્યા કરવા માટે તેની સાથે કોઈ કારણ નહતું.
પરિવારનું કહેવું છે કે વિશાળ ઘણો ખુશ હતો. જુલાઈ મહિનામાં એક લગ્ન પ્રસંગે તે ઘરે આવ્યો હતો અને સપ્ટેમ્બરમાં પાછો જતો રહ્યો હતો.
શનિવારે અને રવિવારે વિશાલે તેના પિતા સાથે પણ વાત કરી હતી. પરિવારે કેનેડાની સરકારને વિનંતી કરી છે કે વિશાલની અંતિમ ક્રિયા માટે તેમને આપી દે.