જર્મનીના પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો ૬૪ વર્ષ જુનો ‘ God Letter ‘ ૨.૯ મિલિયન અમેરિકન ડોલરમાં નિલામ થયો છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ઈશ્વર અને ધર્મને લઈને તેમના વિચારો આધારિત આ પત્ર ૨૦ કરોડ ૩૮ લાખ રૂપિયામાં નીલમ થયો છે.
નિલામી ઘરના વક્તાના કહેવા પ્રમાણે આ પત્રની નિલામીની કિમત ૧૫ લાખ ડોલર એટલે કે ૧૦ કરોડ ૫૮ લાખ રૂપિયા આંકવામાં આવી હતી.
બે પેજનો આ પત્ર ૩ જાન્યુઆરી, વર્ષ ૧૯૫૪ના રોજ જર્મનીના એક દાર્શનિક એરિકને લખવામાં આવ્યો હતો.
આ પત્રમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને લખ્યું છે કે મારા માટે ભગવાન શબ્દનો અર્થ કઈ જ નથી પરંતુ તે અભિવ્યક્તિ અને માણસની કમજોરીનું પ્રતિક છે.
બાઈબલ એક પૂજનીય ગ્રંથ છે પરંતુ તે આજે પણ દંતકથાનો સંગ્રહ છે. તેમણે આખા પત્રમાં GOD શબ્દનો પ્રયોગ માત્ર એક વખત જ કર્યો છે. ૭૪ વર્ષની ઉંમરે તેમણે આ પત્ર લખ્યો હતો.