સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં હંમેશા કાશ્મીર મુદ્દે ભારત પર આરોપ લગાડતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળ્યો છે. UNમાં ભારતે જણાવ્યું કે, પાકિસ્તાન એક એવું ટેરરિસ્તાન છે જેનું આતંકવાદના વૈશ્વીકરણમાં મહત્વનું યોગદાન છે.
UN માં ભારતના યુએન ખાતેના પ્રથમ સેક્રેટરીએ જણાવ્યું કે પાકિસ્તાન આતંકીઓનો ગઢ છે. માનવાધિકારના મુદ્દે પાકિસ્તાનના જ્ઞાનની કોઈ જરૂર નથી, કારણ કે સૌથી વધુ માનવાધિકારનું ઉલ્લંઘન પાકિસ્તાનમાં જ થાય છે. ગંભીરે વધુમાં જણાવતા કહ્યું, પાક. જમીન હાસલ કરવાની ચાહતમાં પાકિસ્તાન “લેન્ડ ઓફ પ્યુર ટેરર” બની ગયો છે. પોતાના નાનકડા ઈતિહાસમાં પાકિસ્તાન આતંકવાદનો પર્યાય બની ગયો છે. આ એક અદભૂત વાત છે કે જે દેશે ઓસામા બિન લાદેન અને મુલ્લા ઉમરને શરણ આપી તે પોતાને પીડિત તરીકે રજુ કરવાનું સાહસ રાખે છે.
મહવ્તનું છે કે, ભારતનું આ નિવેદન પાકિસ્તાનના પીએમના નિવેદન બાદ આવ્યું છે. પાક. પીએમ અબ્બાસીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.