અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની અંગેની માન્યતા આપવા અંગે એક જાહેરાત કરી શકે છે. આ નિર્ણય અંગેની પૃષ્ટિ એક વરિષ્ઠ યુએસ અધિકારી કરી છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ ગૃહ વિભાગને આદેશ આપી તેલ અવીવ સ્થિત અમેરિકી દૂતાવાસને જેરુસલેમ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવા અંગે પણ કહી શકે છે. ટ્રમ્પના આ પગલાંનો આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, “જેરૂસલેમને રાજધાની તરીકેની માન્યતા આપવી તે રાજકીયની જગ્યાએ એક ઐતિહાસિક અને વાસ્તવિક નિર્ણય છે”.
બીજી બાજી ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે અને અમેરિકામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે જણાવતા અમેરિકી અધિકારીઓના જણાવ્યું, જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાથી આરબ જગતમાં તણાવ ઊભો થઈ શકે છે.
મહત્વનું છે કે, જેરૂસલેમ પ્રાચીન સમયથી જ યહુદી લોકોની રાજધાની રહી છે અને વાસ્તવિકતા છે કે આ શહેરમાં સરકારના મહત્વપૂર્ણ મંત્રાલયો, તેની વિધાનસભા અને સુપ્રીમ કોર્ટનું કેન્દ્ર રહ્યું છે.