5 ઓગસ્ટનાં રાષ્ટ્રપતિ દ્રારા વટહુકમ બહાર પાડી જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો હટાવી દેવામાં આવ્યો હતો. વિશેષ રાજ્યનો દરજ્જો રદ્દ કરતાની સાથે જ 5 ઓગસ્ટનાં રાજ્યસભામાં અને પછી લોકસભા સદનમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની સાથે બે ભાગમાં વહેંચવાનું બિલ રજૂ કરવામાં આવ્યું અને પારતી પણ કરી દેવામાં આવ્યું હતું. બિલ સંસદનાં બને સદનમાં પારીત થતા, રાષ્ટ્રપતિ પાસે પાસ થવા મોકલવામાં આવ્યું હતું.
31 ઓક્ટોબર આઝાદ ભારતનાં ધડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ
મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલને મંજૂરીની મોહર મારી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ બિલ મુજબ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ, આવતી 31 ઓક્ટોબરનાં રોજ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે અસ્તિત્વમાં આવશે.
અપને જણાવી દઇએ કે જોગાનું જાગ 31 ઓક્ટોબર આઝાદ ભારતનાં ધડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ પણ છે. ત્યારે સરદાર સાહેબનાં જન્મદિવસે ફરી ભારતનાં એકીકરણનું કામ પૂર્ણ થવું તે પણ વિધીનું વિધાન કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.