આરએસએસનાં જનરલ સેક્રેટરી, સહકાર્યવાહ ભૈયાજી જોશીએ આજે એક નિવેદન આપ્યું છે. રામ મંદિર મામલે ચાલી રહેલી ચર્ચા પર તેઓ બોલ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ રામ મંદિર બનાવા બાબતે ઘણી વાતો કહી હતી.
જયારે એમને સવાલ પૂછવામાં આવ્યો કે , ‘જેવી રીતે 1992 માં આંદોલન કર્યું હતું શું એવી રીતે આ મુદ્દા પર આંદોલન કરવામાં આવશે?’ ત્યારે આ સવાલનાં જવાબમાં એમણે જણાવ્યું કે, ‘જો જરૂર પડશે તો કરશું.’
આ ઉપરાંત એમણે જણાવ્યું હતું કે, ‘રામ દરેકના હ્રદયમાં વસે છે પણ એ મંદિરો દ્વારા પ્રકટ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મંદિર બને. કામમાં અમુક અડચણો જરૂર છે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે કોર્ટ હિન્દુ લાગણીઓને સમજીને નિર્ણય લેશે.’