જામનગર,
જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વિપક્ષ દ્વારા રાફેલ મુદ્દે જે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા સૈૌ પ્રથમ સ્કૂટર રેલી યોજવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલને લઇને કેન્દ્રની મોદી સરકારે ભષ્ટ્રાચાર આચર્યો હોવાનું વિપક્ષ કહી રહ્યું છે.
આ મામલે સુપ્રીમે પણ સરકારને ક્લીનચીટ આપી છે અને વિપક્ષને દેશની સુરક્ષ અગત્યની છે તેમ કહ્યું હતું. પરંતુ વિપક્ષે હજી રાફેલ ડીલ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ છોડ્યો નથી અને JPC દ્વારા તપાસ કરવા માટેની માંગ કરી છે. તો બીજી તરફ ભાજપે ખોટી રીતે વિરોધ કરનાર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું સંસદ સભ્ય પદ રદ કરવાની માંગણી કરી છે.