ભૂકંપ/ જાપાનમાં ભૂકંપના લીધે 2 લોકોના મોત 88 ઇજાગ્રસ્ત,બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી,જાણો

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા છે

Top Stories World
1 58 જાપાનમાં ભૂકંપના લીધે 2 લોકોના મોત 88 ઇજાગ્રસ્ત,બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી,જાણો

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ વખતે ભૂકંપ સામાન્ય કરતાં વધુ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. રાત્રે 8.06 વાગ્યે (જાપાનમાં 11.30) આવેલા ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 297 કિમી ઉત્તર-પશ્ચિમમાં હોવાનું નોંધાયું હતું.

2 36 જાપાનમાં ભૂકંપના લીધે 2 લોકોના મોત 88 ઇજાગ્રસ્ત,બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી,જાણો

જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિલોમીટરની ઉંડાઈએ હતું. જાપાનના મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં સૌથી વધુ આંચકા અનુભવાયા હતા. બંને પ્રાંતોમાં લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ફુકુશિમામાં જ ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે.

1 57 જાપાનમાં ભૂકંપના લીધે 2 લોકોના મોત 88 ઇજાગ્રસ્ત,બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી,જાણો

જાપાનની બુલેટ ટ્રેન ઓપરેટર કંપનીના જણાવ્યા અનુસાર તોહોકુમાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનમાં 100 મુસાફરો હતા. જોકે, તેમાંથી કોઈને ઈજા થઈ ન હતી. જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં ઓસાકીમાં તોહોકુ એક્સપ્રેસવે, મિયાગી પ્રીફેક્ચરમાં જેબાન એક્સપ્રેસવે અને સોમા, ફુકુશિમાનો સમાવેશ થાય છે.

3 29 જાપાનમાં ભૂકંપના લીધે 2 લોકોના મોત 88 ઇજાગ્રસ્ત,બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી,જાણો

ભૂકંપના આંચકા બાદ જાપાનની રાજધાની ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. AFPએ ટોક્યો ઈલેક્ટ્રીક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે જાપાનમાં આવેલા ભૂકંપ બાદ ટોક્યો અંધકારમાં ડૂબી ગયું હતું. ભૂકંપના આ આંચકાઓએ જાપાનના લોકોને 2011ની યાદ અપાવી દીધી. 11 માર્ચ, 2011 એ જાપાન માટે અભૂતપૂર્વ અકસ્માતનો દિવસ હતો. આ દિવસે ઉત્તરપૂર્વ જાપાનના દરિયાકાંઠે 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આજે પણ જાપાન આ અકસ્માતમાંથી બહાર આવી શક્યું નથી. આ ભૂકંપના આફ્ટરશોક્સમાં 18 હજાર લોકોના મોત થયા હતા.