Ahmedabad News: દિવાળીના તહેવાર વચ્ચે અમદાવાદના વસ્ત્રાલમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘરકંકાસમાં 7 વર્ષની પુત્રીએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલની વિનાયક સોસાયટીના મકાનમાં પતિએ પત્ની અને પુત્રીને પાઇપ વડે માર માર્યો હતો. બીજી તરફ માર મારવાને કારણે તેમની સાત વર્ષની પુત્રીના મોતથી પરિવાર ઘેરા શોકમાં છે. દરમિયાન, પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.
દિવાળીના તહેવાર વચ્ચે અમદાવાદના વસ્ત્રાલમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘરકંકાસમાં 7 વર્ષની પુત્રીએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલની વિનાયક સોસાયટીના મકાનમાં પતિએ પત્ની અને પુત્રીને પાઇપ વડે માર માર્યો હતો. બીજી તરફ માર મારવાને કારણે તેમની સાત વર્ષની પુત્રીના મોતથી પરિવાર ઘેરા શોકમાં છે. દરમિયાન, પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.
દરમિયાન ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે લઈ જવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે ઘરેલું હિંસાના કારણે પતિએ તેને માર માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે પતિ દિલીપ કુશવાહાની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ : ઘરકંકાસમાં પતિએ પત્નીની કરી નાંખી હત્યા
આ પણ વાંચો: અમદાવાદ : સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ કર્યું અગ્નિસ્નાન
આ પણ વાંચો: અમદાવાદ: પતિએ કરી બે દીકરી અને પત્નીની ગોળી મારીને હત્યા
