અમદાવાદ,
અમદાવાદના ચાંદખેડામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.ચાંદખેડાના કોટેશ્વર રોડ ઉપર પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા ગુસ્સે થયેલ પતિએ પત્નીનું ગળું દબાવી પત્નીની હત્યા કરી નાંખી હતી.જો કે આરોપી પતિ ફરાર થઇ જાય તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.અને ગુનો નોંધીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી
આપને જણાવી દઈએ કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિ મોતી મકવાણાએ તેની પત્ની જશીબેન મકવાણાની હત્યા કરી નાંખી છે.
શું છે સમગ્ર ઘટના…..
ચાંદખેડા વિસ્તારમાં આવેલ ભગીરથ સોસયાટીમાં SBIના નિવૃત કર્મચારી મોતીભાઈ મકવાણા તેમના પરિવાર સાથે રહે છે. મોતી મકવાણાના પ્રથમ લગ્ન નિર્મલાબેન સાથે થયા હતા અને બીજા લગ્ન જશીબેન સાથે થયા હતા. નિર્મલા બેન થકી મોતીભાઈ મકવાણાને 2 દિકરા અને 3 દીકરીઓ છે. અકસ્માતે નિર્મલાબેનનું મોત થતા મોતીભાઈ મકવાણાએ જશીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા.જેમનાથી તેમને એક દીકરી છે.
જશીબેન અને મોતીભાઈ બંને એકબીજા સાથે રાજીખુશીથી રહેતા હતા. જો કે આજે પતિ-પત્ની વચ્ચે થયેલ માથાકૂટએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ગુસ્સે મોતીભાઈ મકવાણાએ તેમની જ પત્ની જશીબેન મકવાણાનું ગળુ દાબી હત્યા કરી નાખી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક જશીબેનનો ભાઈ પોલીસ કોનસ્ટેબલ છે અને અમદાવાદ શહેરના L ડિવીઝનમાં ટચ્રાફિક કોનસ્ટેબલ તરીકે કામ કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.