Not Set/ કંગના રનૌતની કેસ ટ્રાન્સફરની અરજી કોર્ટ ફગાવી

જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ગયા નવેમ્બર મહિનામાં કંગના  પર માનહાનિનો દાવો કર્યો છે. એ કેસ અંધેરીમાં મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે.

Entertainment
kagna કંગના રનૌતની કેસ ટ્રાન્સફરની અરજી કોર્ટ ફગાવી

ઍડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અભિનેત્રી કંગના રનૈાતની કેસ ટ્રાન્સફર કરવાની અરજીને નકારી કાઢવામાં આવી છે. 21 ઑક્ટોબરે નકારી કઢાયેલી અરજીનો વિગતવાર હુકમ આજે જાહેર કરવામાં આવ્યો હતો.

જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ગયા નવેમ્બર મહિનામાં કંગના  પર માનહાનિનો દાવો કર્યો છે. એ કેસ અંધેરીમાં મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે. અભિનેત્રીએ ગયા મહિને એમ કહીને આ કેસ બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી કે તેને એ કોર્ટ પર ભરોસો રહ્યો નથી અને તે કોર્ટમાં હાજર ન રહે તો તેની સામે વૉરન્ટ ઇશ્યુ કરવાની પરોક્ષ ધમકી આપવામાં આવી રહી છે. જોકે ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ એસ. ટી. દાંડેએ કંગનાની અરજી ફગાવતાં કહ્યું હતું કે અંધેરી કોર્ટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી છે એનો અર્થ એ નથી કે ફરિયાદી કે આરોપી સાથે ભેદભાવ કરી રહી છે. અંધેરી કોર્ટનો ઑર્ડર સેશન્સ કોર્ટ દ્વારા પણ માન્ય ઠરાવવામાં આવ્યો છે.