નેતૃત્વ બદવાલ/ પાંચ રાજ્યની ચૂંટણી બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બદલાઇ શકે છે!

કર્ણાટક પેટાચૂંટણીઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પક્ષના નબળા પ્રદર્શનને લઈને ભાજપ નેતૃત્વ બોમાઈ સરકારથી નાખુશ હોવાનું કહેવાય છે.

Top Stories India
કર્ણાટકા પાંચ રાજ્યની ચૂંટણી બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બદલાઇ શકે છે!

કર્ણાટકમાં ફરી એકવાર મુખ્યમંત્રી બદલાઈ શકે છે.બીજેપીની ટોચની નેતાગીરી ફરી એકવાર રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની વિચારણા કરી રહી છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, તેથી પાર્ટી ચૂંટણી પહેલા આ મોટો ફેરફાર કરવા માંગે છે. કેટલાક મીડિયા અહેવાલોમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભાજપ નેતૃત્વ રાજ્યમાં વર્તમાન બસવરાજ બોમાઈ સરકારના પ્રદર્શનથી નાખુશ છે. જોકે, પાર્ટી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ચૂંટણીના પરિણામો બાદ કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

સૂત્રોને ટાંકીને કર્ણાટક પેટાચૂંટણીઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પક્ષના નબળા પ્રદર્શનને લઈને ભાજપ નેતૃત્વ બોમાઈ સરકારથી નાખુશ હોવાનું કહેવાય છે. સીએમના વિધાનસભા ક્ષેત્ર હનાગલમાં પાર્ટીને જ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે પાર્ટી 2023માં થનારી ચૂંટણીને લઈને ચિંતિત છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો પણ સીએમ બોમાઈથી નારાજ છે.

 રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી પોતાના નવા સીએમ માટે યુવા ચહેરાની શોધમાં છે. પાર્ટી આ માટે લિંગાયત સમુદાયમાંથી મોટા ચહેરાની શોધમાં છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આ ટોચના પદ માટે દલિત ચહેરાને પણ પસંદ કરી શકે છે.