પાકિસ્તાનને ભારત પાસેથી આમ તો ધણું શિખવાનું છે, પરંતુ પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનની પ્રજાએ આ વાત ભારત પાસેથી ખાસ શિખવા જેવી છે કે, દુશ્મન ગમે તેવો પરંપરાગત કેમ ન હોય, જો તે તમારી એક પણ મદદગારી કરે કે, તમારૂ એક વાર પણ સારુ કરે તો તેની વાહ કરવાની અને તેને પણ પ્રેમ કરવાનું ભૂલવુ ન જોઇએ. જી હા આવી જ શિખ પાકિસ્તાનને ભારતનાં પંજાબ પ્રાંતનાં એક નાનકડા ગામએ આપી છે.
પાકિસ્તાની સરકાર અને ખાસ કરીને પાક PM ઇમરાન ખાન દ્વારા પંજાબનાં અને ખાસ કરીને શીખ સંપ્રદાયનાં લોકો દ્વારા વર્ષોથી જેની રાહ જોવામાં આવતી હતી તે ગુરુ નાનક દેવજીનાં મહત્વપૂર્ણ સ્થાન કરતારપુર સાહેબ માટે કોરિડોર બનાવવાની સહમતી આપવામાં આવતા, અને તેને સમયસર ખુલ્લું મુકવામાં આવતા…પંજાબના એક ગામમાં અનેક ઘરો પર પાકિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “We love Pakistan and PM Khan”
પાકિસ્તાન ભલે ભારત તરફ દુનિયાભરમાં ઝેર ઓરતું ફરે કે ભારતમાં આતંકી હુમલાઓ કરાવે પણ ભારતની પ્રજા, દુશ્મનોનાં સારા કામને પણ બીરદાવવામાં પીછે હટ નથી કરતી
https://twitter.com/Harleen___2/status/1192379685025538050
પ્રિત કોર કરીને પંજાબની કોઇ મહિલા દ્વારા આ પોસ્ટ પોતાનાં ટ્વિટર હેન્ડલર પર પોસ્ટ કરવામાં આવી છે.
આ ભારતીય કબજાનું પંજાબ છે.
અમે પાકિસ્તાની ફ્લેગ્સ ઉભા કરી રહ્યા છીએ.
અમે સત્તાવાર રીતે પાકિસ્તાનને આપણા સાચા મિત્ર તરીકે જાહેર કરીએ છીએ.
અમે પાકિસ્તાન અને પીએમ ખાનને પ્રેમ કરીએ છીએ. # કરતારપુરકોરિડોર
શું છે પાકિસ્તાનમાં આટલી ખેલદિલી કે તાકાત………………
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.