દિલ્હી,
સપના ચૌધરીએ સોમવારે દિલ્હી પ્રદેશ ભાજપા કાર્યાલયમાં જણાવ્યું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને રાજ્યના પ્રમુખ મનોજ તિવારીના કાર્યક્ષમ નેતૃત્વથી પ્રભાવિત થઈને ભાજપમાં આવી છું.” નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા સપનાએ કહ્યું કે પીએમ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારી દીધું છે.
અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા સપના ચૌધરીએ કહ્યું કે જે વ્યક્તિ કોઈનું સમ્માન ન કરી શકે, તે જનતાના હિતમાં શું કામ કરશે, દરેક વ્યક્તિને આત્મ સમ્માન છે અને તેનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. કેજરીવાલથી દિલ્હીની જનતા ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેમણે દિલ્હીમાં જનતા કોઈ કામ કર્યું નથી.
પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ..
દિલ્હીથી ચૂંટણી લડવાના જવાબ પર સપના ચૌધરીએ કહ્યું કે હું પાર્ટીમાં જોડાઈ ચુકી છું. આગળ પાર્ટી જે આદેશ આપશે,તે જ કામ કરીશ. મનોજ તિવારીએ કહ્યું કે કેજરીવાલે ભ્રષ્ટાચારની તમામ સીમાઓ તોડી દીધી છે.
આપને જણાવીએ દઈએ કે 7 જુલાઈએ સપના ચૌધરીને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા મળી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ડૉ. હર્ષવર્ધન અને વિજય ગોયલ સહિત અન્ય ઘણા નેતા હાજર રહ્યાં હતા. દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપ સદસ્યતા ઝુંબેશ 2019 નું શુભારંભ કરતા સપના ચૌધરીને પક્ષની સભ્યપદ આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.