ram mandir/ અયોધ્યામાં અવી રહ્યું છે KFC? પ્રખ્યાત રેસ્ટોરન્ટે યોગી સરકારની સ્વીકારવી પડશે એક શરત

અમેરિકન ફૂડ ચેન KFC એટલે કે કેન્ટકી ફ્રાઈડ ચિકન ટૂંક સમયમાં અયોધ્યામાં દસ્તક આપી શકે છે. જોકે, શહેરમાં આઉટલેટ્સ ખોલવા અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

Top Stories India
YouTube Thumbnail 55 અયોધ્યામાં અવી રહ્યું છે KFC? પ્રખ્યાત રેસ્ટોરન્ટે યોગી સરકારની સ્વીકારવી પડશે એક શરત

અમેરિકન ફૂડ ચેન KFC એટલે કે કેન્ટકી ફ્રાઈડ ચિકન ટૂંક સમયમાં અયોધ્યામાં દસ્તક આપી શકે છે. જોકે, શહેરમાં આઉટલેટ્સ ખોલવા અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવી શક્યતાઓ છે કે અયોધ્યામાં નોન-વેજ ડીશ નહીં વેચવાની શરતે KFC ખોલવામાં આવે. ખાસ વાત એ છે કે આ પહેલા ડોમિનોઝ શહેરમાં આવી ચુક્યું છે.

અયોધ્યામાં પંચકોસી માર્ગ પર માંસ કે દારૂના વેચાણ પર પહેલેથી જ કડક પ્રતિબંધ છે. આ 15 કિમીનો માર્ગ તીર્થદર્શન પંચ કોસી પરિક્રમા સાથે જોડાયેલ છે. મની કંટ્રોલ સાથે વાત કરતા, અયોધ્યાના સરકારી અધિકારી વિશાલ સિંહ કહે છે, ‘ KFCએ અયોધ્યા-લખનઉ હાઈવે પર યુનિટ શરૂ કર્યું છે કારણ કે અમે અહીં નોન-વેજ વસ્તુઓને મંજૂરી આપતા નથી.’

તેમણે કહ્યું, ‘જો KFC માત્ર શાકાહારી ભોજન જ પીરસવાનું નક્કી કરે છે, તો અમે તેને અહીં પણ સમાવવા માટે તૈયાર છીએ.’ તેમણે કહ્યું, ‘ઘણા મોટા ફૂડ ચેન આઉટલેટ્સે અમને અયોધ્યામાં દુકાનો ખોલવાની ઓફર આપી છે. અમે ખુલ્લા હાથે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ એકમાત્ર પ્રતિબંધ એ હશે કે તેઓ પંચકોસીની અંદર માંસાહારી વેચી શકશે નહીં.

અયોધ્યામાં વેપાર

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર રામ મંદિરથી લગભગ 8 કિમી દૂર પિઝા હટ ચલાવતા અવધ કુમાર વર્મા હવે પોતાના નિર્ણય પર પસ્તાવો કરી રહ્યા છે. તે કહે છે, ‘પિઝા હટ ત્રણ મહિના પહેલા તેની દુકાન શરૂ કરી હતી, જ્યારે મંદિરના અભિષેક સમારોહની તારીખ જાહેર કરવામાં આવી હતી. ભીડને કારણે અમે રામ પથ પરની દુકાનો જોઈ રહ્યા હતા. અમારો ધંધો સારો ચાલે છે, પણ ત્યાં દુકાન હોય તો ઘણો ફાયદો થઈ શક્યો હોત.

ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચી રહ્યા છે

સરકારે અનુમાન લગાવ્યું છે કે 17 એપ્રિલે રામ નવમી સુધી દર અઠવાડિયે 10 થી 12 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી શકે છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો હતો. દેશના લગભગ 7 હજાર પ્રતિષ્ઠિત નાગરિકો વ્યક્તિગત રીતે આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી