Jamnagar/ જામનગર : ‘રામ રાખે તેને કોણ ચાખે…!’ બોરવેલમાં ફસાયેલ બાળકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડના અધિકારીઓની પ્રશંસનીય કામગીરી

જામનગરના લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં ફસાયેલો બાળક રાજ આખરે જિંદગીનો જંગ જીતી ગયો છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ તથા તંત્રની ૯ કલાકની અથાગ મહેનતને લઈને રેસ્ક્યુ કામગીરી આખરે સફળ પુરવાર થઈ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 07T121132.171 જામનગર : 'રામ રાખે તેને કોણ ચાખે...!' બોરવેલમાં ફસાયેલ બાળકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડના અધિકારીઓની પ્રશંસનીય કામગીરી

@ સાગર સંઘાણી

‘રામ રાખે તેને કોણ ચાખે…!’ આ કહેવતને સાર્થક કરતી ઘટના જામનગર જિલ્લામાં બનવા પામી છે. જામનગરના લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં ફસાયેલો બાળક રાજ આખરે જિંદગીનો જંગ જીતી ગયો છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ તથા તંત્રની ૯ કલાકની અથાગ મહેનતને લઈને રેસ્ક્યુ કામગીરી આખરે સફળ પુરવાર થઈ છે. બાળકના પરિવારજનોએ હર્ષના આશું સાથે સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો: તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે.

તંત્રની પ્રશંસનીય કામગીરી

લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં ફસાયેલો બાળકની ઘટનામાં જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકના બંને હાથ દોરીથી બાંધી લઈ તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો. ત્યારબાદ રિલાયન્સ સહિતની ફાયરની અનેક ટીમો ઓપરેશનમાં જોડાઈ અને 108 ની મદદથી બોરવેલમાં રહેલ બાળકને સતત ઓક્સિજન પૂરો પાડી તેના જીવ બચાવવામાં આવ્યો. સાથે સાથે બોરવેલની બાજુમાં ત્રણ ફૂટના અંતરે એક ઊંડો ખાડો કરી અને નીચેથી ઊંડો ખાડો કરી અને આખરે નવ કલાકની જહેમત બાદ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું.

લાલપુર તાલુકાના ગોવાણાં ગામમાં બોરવેલ માં ફસાયેલા બે વર્ષના બાળક રાજ ને જીવિત અવસ્થામાં કાઢી લેનાર જામનગરની ફાયર બ્રિગેડ શાખાના રાકેશ ગોકાણી તથા કામિલ મહેતા કે જેને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર સી.એસ. પાંડીયન વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પર હાજર રહેલા બાળકના માતા-પિતા તથા અન્ય પરિવારજનો વાડી માલિક અને આસપાસના વિસ્તારના ખેડૂતો વગેરેએ પણ જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટુકડી ઉપરાંત કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર વિભાગની ટુકડી તેમજ પોલીસ તંત્ર અને ૧૦૮ ની ટીમ વગેરેનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લામાં બોરવેલ ની ઘટનામાં બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.

હાથ ધરાયુ રેસ્કયુ ઓપરેશન 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ખુલ્લા ખેતર વાળીમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Beginners guide to 13 2 જામનગર : 'રામ રાખે તેને કોણ ચાખે...!' બોરવેલમાં ફસાયેલ બાળકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડના અધિકારીઓની પ્રશંસનીય કામગીરી

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર પંથકમાં ખેતરોમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ગરકાવ થવાની છેલ્લા છ મહિનામાં ગઈકાલે ત્રીજી ઘટના બની હતી જ્યારે અગાઉની બે ઘટના કે જેમાં તમાચણ ગામ અને રાણ ગામે બંને માસુમ બાળકોના કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દુઃખદ મોત થયા હતા. જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણામાં બનેલ ગઈકાલની ઘટનામાં વહીવટી તંત્રની મહેનત રંગ લાવી અને બે વર્ષના માસુમ બાળક રાજને બોરવેલમાંથી બહાર કાઢી સફળ ઓપરેશન પાર પાડી નવી જિંદગી આપવામાં આવી.

બાળક ફસાયો બોરવેલમાં

ગોરાણા ગામે વાળી ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થતાની સાથે જ બાળકના માતા પિતાએ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી અને તેમના દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા જામનગર જિલ્લાના વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યો હતો. બોરવેલમાંથી બાળકને જીવિત કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સમાં જીજી હોસ્પિટલના પીડિયાટ્રીક તબીબોની ટીમ દ્વારા બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી. જ્યારે જેવી હાલતમાં બાળક બોરવેલમાંથી જીવિત બહાર નીકળતા તેના માતા-પિતા અને રેસ્ક્યુ કરનાર તમામ લોકોમાં એક ખુશીનો આનંદ જોવા મળ્યો.

મહત્વનું છે કે વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ તમામ વિભાગોની મહેનત રંગ લાવી અને જામનગરમાં ઇતિહાસમાં કહી શકાય કે પ્રથમ વખત બોરવેલમાં ગરકાવ બાળકને આખરે નવ કલાક બાદ પણ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેનો જીવ બચાવવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :મધ્યપ્રદેશ/મધ્ય્પ્રદેશના હરદા ફેકટરીમાં વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલની ધરપકડ

આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન હરક સિંહ રાવતના ઘરે EDના દરોડા

આ પણ વાંચો : Gujarat/રાજ્યમાં અધિકારીઓ બાદ આચર્યોની બદલી, સરકારી ઇજનેરી કોલેજમાં કરાઈ આચાર્યોની બદલી