કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ ગુજરાતના ગોધરાથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરતા એક એજન્ટની ધરપકડ કરી છે. તેના પર ભારતીય નૌકાદળની જાસૂસી કરવાનો આરોપ છે. એનઆઈ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એનઆઈના જણાવ્યા અનુસાર ગોધરાથી ઝડપાયેલ ઇમરાન નામનો શખ્સ આઈએસઆઈની જાસૂસી કરતો હતો. તે આઈએસઆઈને ભારતીય નૌકાદળ વિશેની ગુપ્ત માહિતી આપતો હતો. વિશાખાપટ્ટનમમાં આઈએસઆઈ એજન્ટની ધરપકડ બાદ તેના તાર ગોધરા સાથે જોડાયેલા હતા. જે બાદ એએનઆઈની ટીમ સજાગ બની હતી.
એનઆઇએ મોડી રાત્રે ગોધરામાં દરોડો પાડ્યા હતા અને જાસૂસી કરવા બદલ ઇમરાન નામના શખ્સની ધરપકડ કરી હતી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવીએ કે, ભારતીય નૌકાદળ સિવાય તેણે આઈએસઆઈને ઘણી ગુપ્ત માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.