સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, વર્ષ 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં જબરદસ્ત પ્રોગેસ અને સુરક્ષા જોવા મળી છે. ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2018માં પથ્થરમારાના 1,767 કેસ નોંધાયા હતા, જે 2023માં શૂન્ય છે. તેનો સંબંધ આતંકવાદ અને અલગતાવાદી એજન્ડા સાથે હતું.
કેન્દ્રએ SCને કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અહીં વિકાસની ગતિવિધિઓ, વહીવટ અને સુરક્ષાની બાબતોમાં સતત સુધારો થતો રહ્યો છે.ત્યાંના લોકો પર સકારાત્મક અસર પડી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના 20 પાનાના સોગંદનામામાં કહ્યું છે કે, આતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા શેરીઓમાં ખુલ્લેઆમ ફેલાવવામાં આવતી હિંસા અને અન્ય ઘટનાઓ હવે ઈતિહાસની વાત છે.
અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ઘાટીમાં મોટો ફેરફાર થયો
વર્ષ 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોટો ફેરફાર થયો છે. હડતાલ અને બંધની ઘટનાઓમાં લગભગ 90 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2018માં બંધ અને હડતાળના 52 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2023માં શૂન્ય છે. આ ઉપરાંત ખીણમાં સુરક્ષા દળોની સતત કાર્યવાહીને કારણે આતંકવાદીઓની ઈકો સિસ્ટમ પણ નષ્ટ થઈ ગઈ છે, જેના કારણે અહીં આતંકવાદી બનવાની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2018માં 199 લોકો આતંકી ભરતીમાં સામેલ હતા અને વર્ષ 2023માં આ સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ખીણમાં સારી સાર્વજનિક વ્યવસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણને કારણે પથ્થરમારાની ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે. અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા 5050 કેસ નોંધાયા હતા, ત્યારબાદ પથ્થરમારાની માત્ર 445 ઘટનાઓ બની હતી. એક મીડિયા રિપોર્ટે ગૃહ મંત્રાલયના ડેટાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે વર્ષ 2019માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં પથ્થરબાજીના 618 કેસ નોંધાયા હતા. જ્યારે 2020 અને 2021માં અનુક્રમે 222 અને 76 ઘટનાઓ બની હતી, જ્યારે 2022માં તે ઘટીને 20 થઈ ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે વર્ષ 2023માં ઘાટીમાં પથ્થરમારાનો એક પણ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: